Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર એશિયન ગેમ્સથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટ કર્યું તૈયાર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર એશિયન ગેમ્સથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટ કર્યું તૈયાર

Published : 16 September, 2026 08:24 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BCCI ના એક સૂત્રએ સમાચાર એજન્સી PTI ને ટાંકીને જણાવ્યું હતું કે વરુણ લાંબા સમયથી બહાર છે. કુલદીપ યાદવ અને વિપ્રરાજ નિગમ તેના રિપ્લેસમેન્ટ માટે બે આશાસ્પદ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે.

વરુણ ચક્રવર્તી (ફાઈલ તસવીર)

વરુણ ચક્રવર્તી (ફાઈલ તસવીર)


2026 એશિયન ગેમ્સ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થઈ શકે છે. મેન્સ ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. 2026 એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલાં, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી ઈજાને કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે, અને BCCI એ પહેલાથી જ તેના રિપ્લેસમેન્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેને અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ દરમિયાન સાઈડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે અફઘાનિસ્તાન સિરીઝ પણ ચૂકી ગયો હતો.

ચક્રવર્તી બહાર છે, તેનો રિપ્લેસમેન્ટ કોણ હશે?



BCCI ના એક સૂત્રએ સમાચાર એજન્સી PTI ને ટાંકીને જણાવ્યું હતું કે વરુણ લાંબા સમયથી બહાર છે. કુલદીપ યાદવ અને વિપ્રરાજ નિગમ તેના રિપ્લેસમેન્ટ માટે બે આશાસ્પદ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે. કુલદીપ કદાચ એશિયન ગેમ્સમાં નહીં રમે કારણ કે તે આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં રમશે. આવી સ્થિતિમાં, ચક્રવર્તીના રિપ્લેસમેન્ટ તરીકે વિપ્રરાજ નિગમની જાહેરાત થઈ શકે છે. વિપ્રજ નિગમ IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી લેગ-સ્પિન બૉલિંગ કરે છે. તેણે પોતાની કારકિર્દીમાં 33 T20 મેચોમાં 34 વિકેટ લીધી છે. તે જરૂર પડ્યે બૅટિંગ પણ કરે છે. તેણે પોતાની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 244 રન બનાવ્યા છે, જેમાં તેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 39 છે.


અફઘાનિસ્તાન સામે ઈજા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી T20 મેચ 13 સપ્ટેમ્બરના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. તે મેચમાં, ચક્રવર્તીએ પોતાના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 16 રન આપ્યા હતા અને એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. મેચ પછી MRI સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં સાઇડ સ્ટ્રેન જોવા મળ્યું હતું. આ ઈજાથી તે અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો અને કદાચ એશિયન ગેમ્સની ટીમમાંથી પણ બહાર થઈ શકે છે.


24 સપ્ટેમ્બરથી સ્પર્ધાઓ શરૂ થશે

એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, પરંતુ મેન્સોની ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. મેન્સોની સ્પર્ધામાં કુલ 10 દેશો ભાગ લેશે, પરંતુ સીડિંગ સિસ્ટમને કારણે, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ટીમ ઇન્ડિયાનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો 28 સપ્ટેમ્બરના રોજ રમાશે.

ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI) એ તમામ રમતસંઘોને ભાગ લેનારા ખેલાડીઓ અને કોચ પાસે ઍફિડેવિટ ભરાવવાનો અને નૅશનલ સ્પોર્ટ્‍સ રિપોઝિટરી સિસ્ટમ (NSRS) પર રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત ખેલાડીએ પોતાની અને પોતાના ગ્રાસરૂટથી લઈને એલીટ સ્તરના કોચની માહિતી પૂરી પાડવી પડશે. ઍફિડેવિટ હેઠળ ખેલાડીઓએ પોતાનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ જોડવું પડશે. SAIએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ અનફિટ ખેલાડી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 08:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK