આજે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્યપથ પર સંજય લીલા ભણસાલીએ ભારતીય સિનેમાની મહત્તા દર્શાવતાં `ભારત ગાથા` ઝાંખી રજૂ કરી. આ વિશેષ ટેબ્લો થકી તેઓએ દુનિયાને બતાવ્યું કે સિનેમા એ ભારતીય કથાઓનું એક પ્રબળ માધ્યમ છે.
રંગભૂમિને વફાદાર એવા વરિષ્ઠ રંગકર્મી રાજુ બારોટના અવસાનથી સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલ જાણીતા કલાકારનું હાર્ટ ઍટેકથી અવસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે, છતાં હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
23 January, 2026 10:00 IST | Ahmedabad | Viren Chhaya
નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાએ ભારતીય સિનેમાના પ્રદર્શનના સાત ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના નેજા હેઠળ, નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા (NMIC)એ આજે ભારતીય સિનેમાના સમૃદ્ધ વારસા અને કાયમી પ્રભાવની વિચારશીલ રીતે રજૂઆત કરનારા કાર્યક્રમ સાથે NMICને સાત વર્ષ પુરાં થયાં તેની ઉજવણી કરી. ૨૦૧૯માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું, નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા તેની કલાકૃતિઓ, ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન્સ, આર્કાઇવલ સામગ્રી અને ઇમર્સિવ પ્રદર્શનોના વિશાળ સંગ્રહ દ્વારા ભારતના સિનેમેટિક વારસાને સાચવવા, દસ્તાવેજીકરણ કરવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે.
બોર્ડર 2 ના રિલીઝ માટે થોડા દિવસો બાકી છે, ત્યારે નિર્માતાઓએ એડવાન્સ બુકિંગની જાહેરાત કરી છે. આ દરમિયાન, સોનમ બાજવા સેટ પરના તેના મજેદાર સમયની ઝલક શેર કરે છે. (તસવીરો: મિડ-ડે)
ભારતીય સંગીત ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણમાં, ગુનગુનાલોએ પહેલા જ દિવસે ૧૦૦ ઓરિજિનલ ગીતોના રિલીઝ સાથે શરૂઆત કરી, જે દેશમાં ઓરિજિનલ સંગીતના સૌથી મોટા સિંગલ-ડે લૉન્ચમાંથી એક છે. એવા સમયે જ્યારે સ્વતંત્ર ગીતોને પ્રેક્ષકો સુધી પહોંચવામાં મહિનાઓ લાગી જાય છે, ત્યારે આ લૉન્ચના સ્કેલ અને ઉદ્દેશ્યએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.
14 January, 2026 12:30 IST | Mumbai | Viren Chhaya
રોમાંચક ફાઇનલમાં ધ શૂરવીર્સ A ટીમને છેલ્લી ઓવરમાં ૭ વિકેટે આપી માત : બેસ્ટ બૅટર અને પ્લેયર આૅફ ધ સિરીઝ બનીને તુશી શાહ બની આ સીઝનની સુપરસ્ટાર
‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી-મારવાડી-પારસી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૭મી સીઝનમાં પણ સુપર ચૅમ્પિયન ઘાટકોપર જૉલી જિમખાનાએ તેમનો જલવો જાળવી રાખ્યો હતો. ગઈ કાલે ટુર્નામેન્ટના ત્રીજા અને છેલ્લા દિવસે ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલના ઘમસાણ બાદ રમાયેલી રોમાંચક ફાઇનલમાં છેલ્લી ત્રણેય સીઝનની ચૅમ્પિયન ઘાટકોપર જૉલી જિમખાના ધ શૂરવીર્સ A ટીમને ૭ વિકેટે હરાવીને સતત ચોથા વર્ષે અને કુલ આઠમી વાર ચૅમ્પિયન બની ગઈ હતી.
ચૅમ્પિયન ટીમ ઘાટકોપર જૉલી જિમખાનાનું અલગ પ્રૉપર્ટીઝ અને જિજ્ઞેશ ખિલાણીના મેન્ટર, ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રેસિડન્ટ તેમ જ CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા અને અલગ ગ્રુપનાં આર્ચી ખિલાણીના હસ્તે ટ્રોફી, ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક, ટાઇમ પાર્ટનર લોગસ વૉચ તેમ જ ક્લીન, કૉન્શિયસ, કૅર સ્પૉન્સર વિન્ડમિલ બેબી તરફથી ગિફ્ટ-હૅમ્પર અને ફન પાર્ટનર ધ ગ્રેટ-એસ્કેપ વૉટરપાર્કનું ગિફ્ટ વાઉચર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
કવિવારની આજની શ્રેણીમાં આપણા ડાયસ્પોરા સર્જકોની નવી પેઢીમાં સુંદર કવિતાકર્મ કરનારાં મોના નાયકની રચનાઓ માણવી છે. ન્યુ જર્સીમાં રહેતાં મોના નાયક આશાસ્પદ નામ છે. ગઝલ, ગીતો, અછાંદસમાં તેઓએ કલમ ચલાવી છે. નવા જ રદીફ અને કાફિયાની આંગળી પકડીને મોના નાયકે ભાવસભર `ઊર્મિ`ઓને વ્યક્ત કરી છે. ભાષાની સરળતા અને લાઘવતા એ એમનાં કાવ્યોની વિશેષતા છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
27 January, 2026 12:03 IST | Mumbai | Dharmik Parmar
20 January, 2026 02:12 IST | Mumbai | Dharmik Parmar
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK