વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સુર્ય મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
04 December, 2025 05:00 IST Mumbai | Hetvi Karia
આજના કવિવારના લેખમાં વાત કરવી છે રમેશ પારેખના ગામ અમરેલીનાં કવયિત્રી પારુલ ખખ્ખરની. પારુલબહેનનો જન્મ રાજકોટમાં થયો. આજ સુધી તેમને અનેક સન્માનો મળી ચૂક્યાં છે. પહેલવહેલી દસમાં ધોરણમાં કવિતાસર્જન કરનાર પારુલબહેનનો લગ્ન પછીનો સમયગાળો સંતાનઉછેરમાં પસાર થવાથી સર્જન તરફ બ્રેક લાગી ગયો હતો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.02 December, 2025 11:31 IST Mumbai | Dharmik Parmar
ગુજરાતની યાત્રાધામ પરંપરામાં ડાકોરનું સ્થાન માત્ર નકશામાં નોંધાયેલું એક શહેર નથી, પરંતુ રણછોડરાયજીના દર્શનથી લઈને ગોમતી તળાવની નિર્વિકાર શાંતિ સુધી લાખો શ્રદ્ધાળુઓ માટે એક ઊંડો આધ્યાત્મિક પ્રવાસ છે. `મિની દ્વારકા` ગણાતા આ ડાકોરમાં આવો ત્યારે આ પવિત્ર અનુભવ ત્યારે જ પૂર્ણ ગણાય, જ્યારે યાત્રી ડાકોરની ધરતી પર મળતા દૂધ ગોટાના દિવ્ય સ્વાદનો અનુભવ કરે. ચણાના લોટ અને મસાલાથી બનેલા આ ગોટા માત્ર એક સામાન્ય ફરસાણ નથી, પરંતુ પેઢીઓથી ચાલતી પરંપરા, વિશ્વાસ અને સ્વાદનું એવું જીવંત પ્રતીક છે, જેનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે. બન્યું એવુ કે આ વર્ષની દેવ દિવાળીના શુભ દિવસે, ડાકોરના ઠાકોરનાં દર્શન કરવાનો મોકો મળ્યો. જેમાં મારી બાળપણની મિત્ર માનસી, તેની બે (ચાર વર્ષની) જુડવા દીકરીઓ સ્વરા અને સારા, અને અમારી ખાસ મિત્ર રાખી જોબનપુત્રા સાથે અમે ડાકોર પહોંચ્યા.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)28 November, 2025 02:40 IST Dakor | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉજ્જયી પ્રાણાયામ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.27 November, 2025 02:15 IST Mumbai | Rachana Joshi
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના ‘સ્ત્રીત્વ’ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણા વન્ડર વુમન છે અર્ચના ગોહેલ જેમણે સાઉદી અરેબિયામાં ભારતીય વાગની ખાસ કરીને ઓથેન્ટિક ગુજરાતી નાસતાનો ચસકો લગાવ્યો અને તેમના આ નાસતાની ડિમાન્ડ દિવસેને દિવસે વધી જ રહી છે. તો ચાલો આજે જાણીએ કે મૂળ ગુજરાતના વતની અર્ચનાબેહેનના હાથની વાનગીઓ કેવી રીતે સાઉદીમાં બની ગઈ પ્રખ્યાત.26 November, 2025 03:19 IST Mumbai | Viren Chhaya
કવિવારના આજના એપિસોડમાં દેવજી મોઢાની રચનાઓ. ગાંધીયુગના આ કવિએ ૧૯૩૦માં મેટ્રિક પાસ કરીને મુંબઈ યુનિવર્સીટી સાથે જોડાયેલી કરાચીની ડીજે સિંધ કોલેજમાંથી એમએનું શિક્ષણ પૂરું કર્યું હતું. પાકિસ્તાનનો ઉદ્ભવ થયા બાદ તેઓપોરબંદર આવી ગયા હતા અને અહીંની સ્કૂલમાં આચાર્યપદ શોભાવ્યું હતું. તેમની કવિતાઓમાં ગાંધીજીવનનો પડઘો સંભળાય છે. સરળતા સાથે ક્યાંક ગુરુશિષ્યના નાતાની સાહજિકતા પણ તેમનાં કાવ્યોનું જમાપાસું રહ્યું છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.25 November, 2025 11:46 IST Mumbai | Dharmik Parmar
શિયાળામાં સૌથી મોટું સુખ એ છે કે શાકભાજી અને ફળો અત્યંત તાજાં અને પોષણથી ભરપૂર આવે છે. જેમને શાક લેવાનો અને ખાવાનો શોખ હોય તેમના માટે આ ઋતુ એક ઉત્સવ બની જતી હોય છે. શાકભાજી ખાવાથી હેલ્થ એકદમ ચમકી જાય એ તો સૌકોઈ જાણે છે પણ આ શાકભાજીમાં એવાં તત્ત્વો પણ રહેલાં છે જે તમને તમારા રોગોમાંથી મુક્ત કરવાની તાકાત પણ ધરાવે છે. આજની તારીખે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝનો વ્યાપ વધી રહ્યો છે. દારૂ લિવરને ડેમેજ કરે છે એ સૌકોઈ જાણે છે પણ જે લોકો દારૂ નથી પીતા તેમનું લિવર પણ ડૅમેજ થઈ જતું હોય છે. આંકડાઓ મુજબ દુનિયાભરમાં ૩૨ ટકા વયસ્ક લોકોને ફૅટી લિવરની સમસ્યા જોવા મળે છે જેમાં લિવર પર ફૅટ જમા થવાને કારણે લિવર પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આ રોગ વધતો જાય તો લિવર ફેલ થઈ શકે છે. આ રોગનાં અલગ-અલગ તબક્કા હોય છે. પહેલા અને બીજા સ્ટેજનું ફૅટી લિવર હોય એટલે કે રોગની જો શરૂઆત જ હોય તો એને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને પાછું ઠેલી શકાય છે. આ રોગને પાછો ઠેલવવામાં ડાયટ મહત્ત્વનો ભાગ છે જેમાં કેટલીક શાકભાજી છે જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે જાણીએ એવી કેટલીક શાકભાજી જે ફૅટી લિવરને રિવર્સ કરવામાં મદદરૂપ સાબિત થાય.’25 November, 2025 10:31 IST Mumbai | Jigisha Jain
ભારતમાં બાળકો સુધી વાંચનની દુનિયાને પહોંચાડવા માટે અનેક અનોખી અને સર્જનાત્મક લાઇબ્રેરીઓ કાર્યરત છે જે પરંપરાગત પુસ્તકાલયોથી બિલકુલ અલગ અને રસપ્રદ છે. ક્યાંક ઊંટ, ઘોડા, ગધેડા જેવાં જાનવરોની પીઠ પર પુસ્તકો લઈ ગામ સુધી લાઇબ્રેરી પહોંચે છે તો ક્યાંક બસ-સ્ટૉપને જ પુસ્તકોના નાના ખજાનામાં ફેરવી દેવામાં આવ્યું છે. કેટલાંક શહેરોમાં જૂની બસોને રંગીન ચલિત લાઇબ્રેરી બનાવવામાં આવી છે તો ક્યાંક સાઇકલ અને કાર્ટ દ્વારા બાળકો સુધી વાર્તાઓ પહોંચે છે. આ તમામ પહેલોથી એક વાત ચોક્કસ તરી આવે છે, દરેક બાળક સુધી પુસ્તક અને જ્ઞાનની સુગંધ પહોંચાડવાની આગ્રહભરી ઇચ્છા. ભારતમાં જન્મેલી આ અનોખી લાઇબ્રેરીઓ માત્ર વાંચન જ નહીં પણ કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને આશાની નવી દુનિયા ઉજાગર કરે છે. જોકે બુકમોબાઇલ કે મોબાઇલ લાઇબ્રેરી જેવો શબ્દ ૧૮મી સદીથી અસ્તિત્વમાં છે. ભારતમાં વીસમી સદીની શરૂઆતમાં જ્યારે વાહનોની અવરજવર નહોતી કે રસ્તાઓ પાકા નહોતા ત્યારે બળદગાડા દ્વારા આ મોબાઇલ લાઇબ્રેરી ચાલતી હતી. એટલે આધુનિક ભારતમાં મોબાઇલ લાઇબ્રેરીમાં કેટલી વિવિધતા આવી છે એ જાણીએ. માત્ર પુસ્તકો માટે જ આ વાક્ય લખી શકાય કે Beg, borrow or steal: પણ વાંચો. એટલે કે આજીજી કરીને, ઉધાર લઈને કે ચોરી કરીને પણ પુસ્તક વાંચો. બાળકોમાં વાંચનની આદત કેળવવા માટે ભારતભરમાં કેટલાય લોકો પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે જન્મ થઈ રહ્યો છે વિવિધ મોબાઇલ લાઇબ્રેરીઓનો23 November, 2025 02:08 IST Mumbai | Laxmi Vanita
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK