Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જેને સરળતા છોડવી જ નથી તેને કોઈ વાતની ચિંતા જ નથી

યુવા વર્ગ માટે સંતોષ, સરળતા અને દોષ ન જોવાની ભાવના કેટલી જરૂરી? જાણો ભક્તિ અને જીવનને સંતુલિત રાખવાના મહત્વપૂર્ણ પાઠ. દાતાએ જે આપ્યું એ યોગ્ય છે તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે. 

18 March, 2026 05:49 IST | Mumbai | Morari Bapu

પોતાની અંદર ડોકિયું કરી જુઓ... આપણે બધા પલાયનવાદી છીએ

આપણે સહુ એ જાણીએ છીએ કે આપણી અંદર ઉત્પન્ન થતી દરેક પ્રકારની અનુભૂતિ અથવા સંવેદનાઓનું કેન્દ્ર આપણું મગજ છે અને એટલે જ મોટા ભાગના ડૉક્ટરો તેમના દરદીઓને એક સલાહ જરૂર આપતા હોય છે કે...

16 March, 2026 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતી લોકસંગીતનો રંગ છવાયો: NH7 વીકેન્ડરમાં આદિત્ય ગઢવીનો ધમાકેદાર પરફોર્મન્સ

NH7 Weekender Pune: પુણેમાં યોજાયેલા સંગીત મહોત્સવ ICONiQ White NH7 Weekenderના બીજા દિવસે સંગીતપ્રેમીઓ માટે યાદગાર સાંજ બની. મહાલક્ષ્મી લૉન્સ ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

15 March, 2026 07:41 IST | Pune | Gujarati Mid-day Online Correspondent

મધ્ય પ્રદેશના કેન્દ્રસ્થાને રહેલાં છે નગર નલખેડાનાં માતા બગલામુખી

અહીં વર્ષના ૩૬૫ દિવસો યજ્ઞ થતા હોય છે. એમાંય ૪ નવરાત્રિ, બગલામુખી જયંતી, પૂર્ણિમા, અમાવસ્યા, અષ્ટમી ને દર ગુરુવારે તો અહીં જબરદસ્ત ભીડ હોય છે

15 March, 2026 12:18 IST | Madhya Pradesh | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભક્તિની નવ યુક્તિમાંથી જો આ બેને જીવનમાં ઉતારી તો બેડો પાર

આ જે નિરભિમાનપણું છે એ ભક્તિની યુક્તિ છે અને આ યુક્તિને વિભીષણે અમાનના નામે ઓળખાવી છે

11 March, 2026 01:48 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જિંદગી મન ભરીને જીવવી છે કે મનમાં ભરી-ભરીને?

આપણી યાદશક્તિ કૅમેરા જેવી છે. એક વાર ઝિલાયું એટલે મગજમાં કેદ થઈ ગયું. પોતાના પ્રસંગે કોઈએ આપણને ન બોલાવ્યા તો એ વર્ષો સુધી યાદ રાખવાનું.

10 March, 2026 11:19 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દુનિયા સાથે કનેક્ટ કરતો મોબાઇલ વ્યક્તિને દુનિયાથી કાપી નાખે છે

મોબાઇલ અનિવાર્ય છે, એના વિના આજે ચાલે નહીં એ પણ હકીકત છે

09 March, 2026 02:54 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર: કવિતામાં ઓગળવાનું સુખ સૌને નથી મળતું - કવિ પ્રણવ પંડ્યા

ગઇકાલે પ્રણવ પંડ્યાનો જન્મદિવસ હતો. આજે કવિવારના ફળિયે તેઓની ગઝલો લઈને બેસવું છે. કવિ પ્રણવ પંડ્યાનો જન્મ અમરેલીમાં. વર્ષ ૧૯૯૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ અંગ્રેજી વિષય સાથે માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી. પ્રણવભાઈ ચલાલામાં શિક્ષક તરીકે કાર્યરત છે. નાનાં ભૂલકાંઓ સાથેનો સહવાસ પણ તેમની કૃતિઓમાં સબળ રીતે ઊતરી આવેલો જોઈ અનુભવી શકાય છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
17 March, 2026 12:18 IST | Mumbai | Dharmik Parmar

તસવીરો રાજા લાલવાણી

પૃથ્વી થિયેટર દ્વારા ઉસ્તાદ ઝાકિર હુસૈનની સ્મૃતિમાં કોન્સર્ટ `રહનુમા`ની જાહેરાત

એક વિશેષ સંગીતના કાર્યક્રમ દ્વારા ઉસ્તાદ ઝાકિર હુસૈન અને પૃથ્વી થિયેટર વચ્ચેના વિશેષ સંબંધની ઉજવણી થશે. `રહનુમા` દ્વારા ઝાકિર સાહેબના સંગીત પ્રત્યેના સમર્પણ અને નવા કલાકારોને તૈયાર કરવાની તેમની ઉદારતાને બિરદાવવામાં આવશે.

25 February, 2026 05:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક રાજા અને સાધુ વચ્ચેની વાતચીત અને સજાતીય પ્રેમ કથા રજૂ કરતું નાટક એપ્રિલમાં મંચસ્થ થશે

જોનાથન તાઈકીના ટેલર, મહેશ દત્તાણીનું નાટક `ધ મંક એન્ડ ધ વોરિયર`નું મંચન થશે

`ધ મંક એન્ડ ધ વૉરિયર` આ દમનકારી માળખાને તોડીને પ્રેક્ષકોને ભારતના ક્વીઅર ઇતિહાસની એક કાલ્પનિક અને રોમાંચક સફર પર લઈ જાય છે. આ નાટક ચંદ્રવતી-માલવતી અને શમ્સ-રૂમી જેવી લોકકથાઓને પુનઃજીવિત કરે છે અને એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે

25 February, 2026 04:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર, પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર

પ્રેમમાં વિશ્વાસ હોય છે અને નિઃશ્વાસ પણ નીકળતા રહે છે. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને બીજી બાજુ તે ક્યાંય દેખાતો ન હોવાની પીડામાં ફળફળતા નિઃશ્વાસ પણ નીકળે છે

25 February, 2026 01:06 IST | Mumbai | Morari Bapu

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK