તેમણે ટિપ્પણી કરી કે ચિંતા કે ડરવાની કોઈ જરૂર નથી; જે પુરુષ પોતાની પત્નીની વાત માને છે તે ખરેખર સારો પુરુષ છે. પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, "હું તમારી સામે ઊભો છું. મારી દાઢી તડકામાં સફેદ નથી થઈ; તે મારા ઘરની ચાર દીવાલોની વચ્ચે સફેદ થઈ છે."
અસદુદ્દીન ઓવૈસી
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ `યુનિફોર્મ સિવિલ કોડ` (UCC) વિરુદ્ધની એક રૅલી દરમિયાન `જેન ઝી` (Gen Z) ના યુવાનોને એક અનોખો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, "જે પુરુષ પોતાની પત્નીની ગુલામી કરે છે, તે સારો પુરુષ છે."
જેન Z ને ઓવૈસીના પ્રશ્નો
ADVERTISEMENT
રૅલી દરમિયાન જેન Z ને સંબોધતા ઓવૈસીએ પૂછ્યું કે શું તેઓ પરિવર્તન લાવશે? યુવાનોએ ઉત્સાહપૂર્વક "ઇન્શાઅલ્લાહ" (જો ખુદાની મરજી હશે તો) કહીને જવાબ આપ્યો. ત્યારબાદ તેમણે પૂછ્યું, "શું તમે તમારી પોતાની મરજી કે ઈચ્છાઓ કરતાં કુરાન અને સુન્નતને પ્રાથમિકતા આપશો? શું તમે તમારી મસ્જિદોને જીવંત રાખશો? શું તમે તમારા માતા-પિતાની સેવા કરશો? શું તમે તમારી બહેનોને તેમનો હકનો હિસ્સો આપશો?" જેન Z ના યુવાનોએ આ તમામ પ્રશ્નોના જવાબમાં ‘ઇન્શાઅલ્લાહ" કહ્યું. ત્યારબાદ ઓવૈસીએ પૂછ્યું કે શું તેઓ પોતાની પત્નીઓની વાત માનશે; ભીડે આ વાતને પણ સમર્થન આપ્યું. તેમણે ટિપ્પણી કરી કે ચિંતા કે ડરવાની કોઈ જરૂર નથી; જે પુરુષ પોતાની પત્નીની વાત માને છે તે ખરેખર સારો પુરુષ છે. પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, "હું તમારી સામે ઊભો છું. મારી દાઢી તડકામાં સફેદ નથી થઈ; તે મારા ઘરની ચાર દીવાલોની વચ્ચે સફેદ થઈ છે."
UCC વિશે અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
દરમિયાન, IANS ના અહેવાલ મુજબ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે 15 સપ્ટેમ્બર, 2026 ભોપાલમાં UCC અંગેની એક રૅલીમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, "મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને આસામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લાગુ કરવામાં આવેલ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માત્ર ભારતના મુસ્લિમોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યો હતો. આ UCC કાયદો સમાનતા માટે બનાવવામાં આવ્યો ન હતો; તેને હિન્દુ મૅરેજ ઍક્ટ અને હિન્દુ ડિવોર્સ ઍક્ટ જેવા કાયદાઓને બિન-હિન્દુ સમુદાયો સુધી પણ વિસ્તારવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો."
Bhopal, Madhya Pradesh: AIMIM chief Asaduddin Owaisi says, "In Madhya Pradesh, Uttarakhand, Gujarat and Assam, the UCC law enacted by the BJP was created solely to target Indian Muslims. This UCC law was not created for equality. It was created so that laws such as the Hindu Marriage Act and Hindu Divorce Act could be imposed on non-Hindu communities. That is why we oppose this law, as it is against the Constitution of India. In Madhya Pradesh, nearly 21% of the population comprises Adivasis, who have been exempted from it. However, the 9% Muslim population of Madhya Pradesh has been subjected to this black law..." (15/09)
— IANS (@ians_india) September 16, 2026
`મુસ્લિમ મહિલાને મસ્જિદમાં એન્ટ્રી`, SCમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આપી આ દલીલ..
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે ઇસ્લામ મહિલાઓને નમાઝ માટે મસ્જિદોમાં જવાની મનાઈ ફરમાવતો નથી, પરંતુ તેમના માટે ઘરે રહેવું યોગ્ય છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આ દલીલનો હવે અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપ્યો છે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ઇસ્લામ મહિલાઓને નમાઝ માટે મસ્જિદોમાં જવાની મનાઈ ફરમાવતો નથી, પરંતુ તેમના માટે ઘરે રહેવું યોગ્ય છે. AIMPLB નું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એમ. આર. શમશાદે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બૅન્ચને જણાવ્યું હતું કે મહિલાઓને ચોક્કસ શિસ્તને આધીન મસ્જિદોમાં નમાઝ પઢવાની પરવાનગી છે.
