આજના સમયમાં ભોજન માત્ર ભૂખ શાંત કરવાની વસ્તુ નથી, પરંતુ સ્વાદ, વૈવિધ્ય અને વૈભવનું પ્રતિક બની ગયું છે. આવા સમયમાં જૈન ધર્મમાં ઉજવાતી આયંબિલ ઓળી સંયમ, સાદગી અને આધ્યાત્મિકતા તરફ દોરી જતી અનોખી પરંપરા તરીકે ઓળખાય છે. ચૈત્ર માસની શરૂઆત સાથે જ જૈન સમાજમાં નવ દિવસ ચાલતો આ આરાધનાનો પ્રારંભ થાય છે. વર્ષમાં બે વાર આવતી આ ઓળી ચૈત્ર અને આસો માસમાં જૈન ધર્મની અતિ પવિત્ર તપશ્ચર્યાઓમાંની એક માનવામાં આવે છે. કારણ કે આ બે મહિનામાં વાત, પિત્ત અને કફનો પ્રકોપ વધીને શરીરને અસ્વસ્થ બનાવે છે, તેથી આયંબિલની આરાધના દ્વારા આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. આ વર્ષે 25 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. તો ચાલો આ લેખમાં જાણીએ આયંબિલ ઓળીનું મહત્વ અને જૈન હોમ શેફ પાસેથી સાદગીભરી ખાસ રેસીપીસ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
20 March, 2026 05:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent