Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચારધામ યાત્રામાં ડ્રાઇવરો ચંપલ પહેરીને ગાડી નહીં ચલાવી શકે, શૂઝ ફરજિયાત

ચારધામ યાત્રામાં ડ્રાઇવરો ચંપલ પહેરીને ગાડી નહીં ચલાવી શકે, શૂઝ ફરજિયાત

Published : 08 April, 2025 10:43 AM | Modified : 09 April, 2025 06:59 AM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તરાખંડમાં ૩૦ એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. સૌથી પહેલાં ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે. ત્યાર બાદ બીજી મેએ કેદારનાથ અને ચોથી મેએ બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલશે. પરિવહન વિભાગ અને તંત્ર ઘણા દિવસોથી યાત્રાની તૈયારીમાં જોડાયેલાં છે. એ દરમ્યાન પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં ૪૩ ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ નિમયોનું તમામ લોકોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.

પરિવહન વિભાગના નિયમોના મહત્ત્વના મુદ્દા



  • ચારધામ યાત્રા વખતે ડ્રાઇવરને ચંપલ પહેરવાની મનાઈ છે. ડ્રાઇવર ફક્ત બૂટ પહેરીને વાહન ચલાવી શકશે.
  • ચારધામ યાત્રાના રૂટ પર રાતે ૧૦થી સવારે ૪ વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.
  • તમામ કમર્શિયલ વાહનો માટે ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ ફરજિયાત થશે.
  • દરેક વાહનમાં ફર્સ્ટ એઇડ કિટ, અગ્નિશામક યંત્ર, લાકડીનો ટુકડો અને દોરડું ફરજિયાત રાખવું પડશે.
  • વાહનમાં કચરાપેટી અને વૉમિટિંગ બૅગ રાખવી પડશે.
  • ટૂ-વ્હીલરનો ચાલક અને પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ ફરજિયાત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2025 06:59 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK