આજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik Parmar