Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religion

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

કલિયુગમાં સંભવામિ યુગે યુગે નહીં, સંભવામિ ક્ષણે ક્ષણે થાય એની જરૂર છે

શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.

17 April, 2025 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

માનતા પૂરી કરવા સળગતા કોલસા પર દોડ્યો, પણ અધવચ્ચે જ પડી જતાં દાઝવાથી મૃત્યુ થયું

સાઉથ ઇન્ડિયન પરંપરાઓમાં અનેક મંદિરો અને તહેવારો દરમ્યાન પ્રભુને રીઝવવા માટે શરીરને કષ્ટ પડે એવી માનતાઓ લેવામાં આવે છે અને જે-તે કામ પૂરું થાય એટલે એ માનતા પૂરી કરવામાં આવે છે.

17 April, 2025 01:05 IST | Chennai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ

હું તાવીજ નથી પહેરતી, પણ હનુમાન ચાલીસાનો જાપ કરું છું : આશા પારેખ

૮૨ વર્ષનાં આશા પારેખ હિન્દુ ગુજરાતી પિતા પ્રાણલાલ પારેખ અને વોહરા મુસ્લિમ માતા સલમા (લગ્ન પછી સુધા)નું સંતાન છે. આમ તેમના જીવન પર બન્ને ધર્મની અસર છે. હાલમાં પોતાની ધાર્મિક આસ્થા વિશે વાત કરતાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘હું બહુ આધ્યાત્મિક છું.

17 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જગન્નાથ મંદિરની ઉપર ધજા જેવા કપડા સાથે એક ગરુડ પક્ષી ઊડતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

પુરીના જગન્નાથ મંદિરની ઉપર ધજા સાથે ઊડતા ગરુડનો વિડિયો વાઇરલ

એક ઍસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે ઓડિશા પર સમુદ્રી તોફાન આવી શકે છે. હાલના ગ્રહમાન પણ એ બાબતનો સંકેત આપે છે.

17 April, 2025 07:01 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent

ફોટા

હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai
જોધપુરમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું,

જોધપુરમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, "ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ"

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૦૩ જાન્યુઆરીએ રાજસ્થાનના જોધપુરમાં શ્રી શ્રી ૧૦૦૮ શ્રી બ્રહ્માલિન આયસ જી શ્રી યોગી કૈલાશનાથજી મહારાજના ભંડારા મહોત્સવ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ. સીએમ યોગીએ કહ્યું, કે "ફક્ત એક જ ધર્મ છે અને તે સનાતન ધર્મ છે જેણે દરેક દેશમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તેનું જોમ જાળવી રાખ્યું છે... સનાતન ધર્મ દરેક પ્રકારના સંજોગોનો સામનો કરીને તેની યાત્રા ચાલુ રાખે છે."

04 January, 2024 01:31 IST | Rajasthan
98 ટકા ભારતીય મુસ્લિમો તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે

98 ટકા ભારતીય મુસ્લિમો તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે

પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 98 ટકા મુસ્લિમો દેશમાં તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. બાકીના 2 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના ધર્મનું પાલન કરવા માટે "ખૂબ મુક્ત નથી", વર્ચ્યુઅલ રીતે કોઈએ "બિલકુલ મુક્ત નથી" નો જવાબ આપ્યો. તેની વેબસાઈટ મુજબ, પ્યુ રિસર્ચ સેન્ટર એક બિનપક્ષીય તથ્ય ટાંકે છે જે વિશ્વને આકાર આપતા મુદ્દાઓ અને વલણો વિશે વાત કરે છે. વોશિંગ્ટન એક્ઝામિનરના અભિપ્રાય ભાગમાં અમેરિકન સમાજશાસ્ત્રી સાલ્વાટોર બેબોન્સે પ્યુ રિસર્ચમાંથી આ માહિતી ટાંકી છે. તેમણે ભારત અને યુ.એસ.માં લઘુમતીઓની સ્થિતિની સરખામણી કરી, જ્યાંથી ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવતા અનેક અહેવાલો પ્રકાશિત થાય છે. ઉલ્લેખનીય છે કે, યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ તેના વાર્ષિક રિપોર્ટમાં ભારતને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરી છે. USCIRF એ 17 દેશો (ભારત સહિત)ને `વિશેષ ચિંતાના દેશો` તરીકે નિયુક્ત કરવા માટે વિદેશ વિભાગને ભલામણ કરી હતી. પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ, 95 ટકા મુસ્લિમોએ કહ્યું કે તેઓ "ભારતીય હોવાનો ગર્વ" અનુભવે છે.

18 June, 2023 03:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK