કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે.
કૅન્સર સામેની લડતની સફરમાં તેમ જ હવે સમાજસેવાના કાર્યમાં પરિવારનો પૂરો સાથ મળ્યો છે અજય પાઠકને.
કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે. સામાજિક કાર્યકર્તા અજયભાઈ કૅન્સર અને બોન મૅરોના દરદીઓની સારવાર અને દવાના ખર્ચમાં મદદરૂપ થાય છે એટલું જ નહીં, બ્લડ-પ્લેટલેટ્સની તેમ જ રહેવા-ખાવાની વ્યવસ્થા સુધીનાં બધાં જ કામ કરે છે




