Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૂનાગઢમાં મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં મહાત્માઓનું મહાસ્નાન

જૂનાગઢમાં મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં મહાત્માઓનું મહાસ્નાન

Published : 28 February, 2025 10:53 AM | Modified : 01 March, 2025 07:24 AM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતે નીકળેલી રવેડીમાં હજારો નાગા બાવા, સાધુ-સંતો જોડાયા

મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી

મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી


સૌરાષ્ટ્રમાં આવેલી ઐતિહાસિક ભૂમિ જૂનાગઢમાં મહાશિવરાત્રિની મધરાતે અલૌકિક દિવ્ય નઝારો સર્જાયો હતો. જૂનાગઢમાં બુધવારે મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી જેમાં હજારો નાગા બાવા, સાધુ-સંતો જોડાયા હતા. જૂનાગઢમાં નીકળેલી રવેડી જોવા માટે સમગ્ર ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. રવેડીમાં જોડાયેલા સાધુઓનાં હેરતઅંગેઝ કરતબથી ધાર્મિકજનો મંત્રમુગ્ધ થયા હતા. રવેડીમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઊઠ્યો હતો. રવેડીમાં જોડાયેલા હજારો સાધુ-સંતો ભવનાથ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં આવેલા પૌરાણિક મૃગીકુંડ પાસે સૌ એકઠા થયા હતા. મૃગીકુંડ પાસે પહેલાં આરતી યોજાઈ હતી અને ત્યાર બાદ રાતે ૧૨ વાગ્યે નાગા બાવાઓ અને સાધુ-સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. સ્નાન કરીને સાધુ-સંતો ભવનાથ મંદિરમાં ભોળા શંભુનાં દર્શન કરીને છૂટા પડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2025 07:24 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK