Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુરના હનુમાન મંદિરમાં ૫૦૦ કિલો કેસૂડાનાં ફૂલોનો નયનરમ્ય શણગાર

સાળંગપુરના હનુમાન મંદિરમાં ૫૦૦ કિલો કેસૂડાનાં ફૂલોનો નયનરમ્ય શણગાર

Published : 23 February, 2025 08:30 AM | Modified : 24 February, 2025 07:04 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી ખાસ લવાયાં કેસૂડાનાં ફૂલ : ૨૦૦ કિલો ધાણી-ખજૂર, દાળિયાનો ધરાવાયો અન્નકૂટ

કરો અલૌકિક દર્શન

કરો અલૌકિક દર્શન


સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે કેસૂડાનાં કેસરી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ૫૦૦ કિલોથી વધુ કેસૂડાનાં ફૂલો ખાસ દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી લાવવામાં આવ્યાં હતાં. કેસૂડાનાં ફૂલોના શણગારથી મંદિરમાં કેસરિયો માહોલ છવાયો હતો અને કેસૂડાનાં ફૂલોનો શણગાર નયનરમ્ય લાગતો હતો. કેસૂડાનાં ફૂલોના શણગાર ઉપરાંત હનુમાનદાદાને ૨૦૦ કિલો ધાણી-ખજૂર, દાળિયાનો અન્નકૂટ ધરાવાયો હતો. ભક્તજનોએ હનુમાનજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કેસૂડાનો શણગાર જોઈને ખુશી વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2025 07:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK