Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Culture News

લેખ

આજનું આસ્થાનું એડ્રેસ છે બાન્દ્રામાં આવેલું રાધાકૃષ્ણ મંદિર

આસ્થાનું એડ્રેસ: બાન્દ્રાના ખેરવાડીનું રાધાકૃષ્ણ મંદિર એટલે ખટિક સમાજનું સર્વસ્વ

Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર

‘નથી મળ્યું’નું લિસ્ટ છોડીને ‘મળ્યું છે’ના મથાળાવાળું લિસ્ટ તૈયાર કરીએ

ઘણા પાસે ઇચ્છા કરતાં પૈસા ઓછા છે, કેટલાક પાસે જરૂર કરતાં ઓછા છે તો વળી કોઈની પાસે બીજા કરતાં ઓછા છે. સારાંશ એટલો કે પૈસાની વાત આવે ત્યારે બધાની પાસે એ ઓછા જ છે.

25 March, 2025 03:29 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
મથુરા

વૃંદાવનમાં ઊજવાયો દક્ષિણ ભારતીય પરંપરાનો રથમેળો

રંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવના ભાગરૂપે ૫૦ ફુટ ઊંચા ચંદનના લાકડાના રથમાં બેસીને રંગનાથજી ગામનું ભ્રમણ કરવા નીકળ્યા: યુરોપિયન સહેલાણીઓમાં આ ઉત્સવ ફેમસ છે

25 March, 2025 07:01 IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
ડૉ. અનિતા રત્નમનું `નાચિયાર નેક્સ્ટ`

નાચિયાર નેક્સ્ટ: ડૉ. અનિતા રત્નમનો 7મી સદીના નારીવાદી કવિ અંદાલને સમર્પિત શો

Naachiyar Next: સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત, તેમને તમિલનાડુ સરકાર દ્વારા કલાઈમામણિ પુરસ્કાર અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સમુદાયના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક - નૃત્ય ચૂડામણિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.

25 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે આર્ટિસ્ટ અપર્ણા શેઠ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : પોતાના જેવી અનેક અપર્ણા શેઠ ઊભી કરી રહ્યાં છે મુંબઈનાં આ આર્ટિસ્ટ!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...

26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
જુહુ બીચ પર ધુળેટી રમતા લોકો (તસવીરો- સમીર અબેદી)

જુહુના દરિયાકિનારે મુઠ્ઠીમાં રંગો લઈ ધુળેટી રમવામાં મશગૂલ મુંબઈકર- જુઓ આ તસવીરો

આજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

યોગ ગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ  મહાકુંભ દરમિયાન ત્રિવેણી ઘાટ પર પવિત્ર મૌની અમાવસ્યા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાર્થના કરી હતી અને પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો હતો, અને પ્રસંગના આધ્યાત્મિક મહત્વને સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા હતા, જે મહાકુંભની ઊંડા મૂળવાળી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતા હતા.

29 January, 2025 04:49 IST | Prayagraj
“ભારતની શક્તિ અને સનાતન ધર્મ”, મહા કુંભ મેળા 2025 પર સાધ્વી ભગવતી સરસ્વતી

“ભારતની શક્તિ અને સનાતન ધર્મ”, મહા કુંભ મેળા 2025 પર સાધ્વી ભગવતી સરસ્વતી

મહા કુંભ મેળા 2025 પર બોલતા, સાધ્વી ભગવતી સરસ્વતીએ કહ્યું કે તે ‘ભારત અને સનાતન ધર્મની શક્તિ’નું પ્રતીક છે. તેણીએ કહ્યું, “ગઈકાલનું અમૃત સ્નાન એક દૈવી ઘટના હતી. હું વિચારી રહ્યો હતો કે મેં મારા પાછલા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે કે મને આ પ્રસંગમાં હાજરી આપવાની તક મળી. આ માત્ર ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ નથી, પરંતુ તે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે દર્શાવે છે જ્યારે ઘણા દેશો અને જાતિના લોકો સાથે મળીને પવિત્ર સ્નાન કરે છે... આ ભારત અને સનાતન ધર્મની શક્તિ છે. તે દર્શાવે છે કે આખું વિશ્વ એક કુટુંબ છે, વસુધૈવ કુટુમ્બકમ... તે માત્ર એક ઘટના નથી પરંતુ વિશ્વને સંદેશ છે કે સંઘર્ષ અને યુદ્ધના સમયે વિશ્વ શાંતિ, આસ્થા અને ભક્તિના નામે કેવી રીતે એકસાથે આવે છે. આ એક `શાંતિ સંગમ` છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું...”

15 January, 2025 06:48 IST | Prayagraj
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 ડિસેમ્બરે ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડોરી કામદાર સમૃદ્ધિ યોજના સહાય કાર્યક્રમ માટે 25000 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

19 December, 2024 04:21 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK