કૅપ્ટન શ્રેયસ ઐયર કદાચ આજે ટીમ સાથે જોડાશે અને મોટા ભાગના ખેલાડીઓ ૨૧ માર્ચે પહોંચી જશે. અફઘાનિસ્તાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ પણ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધને લીધે બે દિવસ મોડો આવશે.
પાછા જવામાં મોડું થયું હોવાથી IPL માટે મોડો આવશે માર્કો યાન્સેન
T20 વર્લ્ડ કપમાંથી આઉટ થયા બાદ યુદ્ધને લીધે ઘરે પાછા ફરવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી ઑલરાઉન્ડર માર્કો યાન્સેન અને સાઉથ આફ્રિકન ટીમને અઠવાડિયા સુધી ભારતમાં જ રોકાઈ રહેવું પડ્યું હતું. હવે ૨૮ માર્ચથી શરૂ થનારી IPLમાં પંજાબ કિંગ્સ વતી રમવા તેણે પાછા ભારત આવવાનું છે, પણ ફૅમિલી સાથે થોડો વધુ સમય ગાળવા મળે એ માટે તેણે ટીમ-મૅનેજમેન્ટને ૨૧ને બદલે ૨૬ માર્ચે ટીમ સાથે જોડાવવાની છૂટ આપવાની વિનંતી કરી હતી જે હેડ કોચ રિકી પૉન્ટિંગે માન્ય કરી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર કદાચ આજે ટીમ સાથે જોડાશે અને મોટા ભાગના ખેલાડીઓ ૨૧ માર્ચે પહોંચી જશે. અફઘાનિસ્તાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ પણ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધને લીધે બે દિવસ મોડો આવશે.
પંજાબની ટીમને કૅપ્ટન શ્રેયસ ઐયર અને કોચ રિકી પૉન્ટિંગની જોડી ગઈ સીઝનમાં પહેલી વાર ફાઇનલ સુધી દોરી ગઈ હતી.
