Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઊજવાશે ડે ઑફ થૉર્પી

ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઊજવાશે ડે ઑફ થૉર્પી

Published : 22 July, 2025 09:14 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે

લંડનમાં ધ ઓવલ સ્ટેડિયમની બહાર ગ્રેહામ થૉર્પનું હેડબૅન્ડ સાથેનું વૉલ-પેઇન્ટિંગ.

લંડનમાં ધ ઓવલ સ્ટેડિયમની બહાર ગ્રેહામ થૉર્પનું હેડબૅન્ડ સાથેનું વૉલ-પેઇન્ટિંગ.


ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની અંતિમ મૅચ ૩૧ જુલાઈથી ૪ ઑગસ્ટ દરમ્યાન લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના દિવંગત ક્રિકેટર ગ્રેહામ થૉર્પની જન્મ અને મૃત્યુની તારીખ આવે છે. સરે ક્રિકેટ ક્લબના આ ક્રિકેટરનો જન્મ ૧૯૬૯ની ૧ ઑગસ્ટે થયો હતો અને ૨૦૨૪માં ૪ ઑગસ્ટે ૫૫ વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી.

૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટને ડે ઑફ થૉર્પી નામ આપવામાં આવ્યું છે.  આ ક્રિકેટરની પત્ની અને દીકરીઓ ડિઝાઇન કરાયેલાં ખાસ હેડબૅન્ડનું વેચાણ પણ ટેસ્ટ-મૅચ દરમ્યાન કરશે. ૧૦૦ ટેસ્ટ અને ૮૨ વન-ડે મૅચ રમનાર ગ્રેહામ થૉર્પ માટે હેડબૅન્ડ ટ્રેડમાર્ક સમાન હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2025 09:14 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK