૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે
લંડનમાં ધ ઓવલ સ્ટેડિયમની બહાર ગ્રેહામ થૉર્પનું હેડબૅન્ડ સાથેનું વૉલ-પેઇન્ટિંગ.
ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની અંતિમ મૅચ ૩૧ જુલાઈથી ૪ ઑગસ્ટ દરમ્યાન લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના દિવંગત ક્રિકેટર ગ્રેહામ થૉર્પની જન્મ અને મૃત્યુની તારીખ આવે છે. સરે ક્રિકેટ ક્લબના આ ક્રિકેટરનો જન્મ ૧૯૬૯ની ૧ ઑગસ્ટે થયો હતો અને ૨૦૨૪માં ૪ ઑગસ્ટે ૫૫ વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી.
૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટને ડે ઑફ થૉર્પી નામ આપવામાં આવ્યું છે. આ ક્રિકેટરની પત્ની અને દીકરીઓ ડિઝાઇન કરાયેલાં ખાસ હેડબૅન્ડનું વેચાણ પણ ટેસ્ટ-મૅચ દરમ્યાન કરશે. ૧૦૦ ટેસ્ટ અને ૮૨ વન-ડે મૅચ રમનાર ગ્રેહામ થૉર્પ માટે હેડબૅન્ડ ટ્રેડમાર્ક સમાન હતું.


