Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના કચ્છી યુવાનનું લંડનમાં શુગરનું લેવલ ઘટી જવાથી થયું મૃત્યુ

કાંદિવલીના કચ્છી યુવાનનું લંડનમાં શુગરનું લેવલ ઘટી જવાથી થયું મૃત્યુ

Published : 21 October, 2024 08:00 AM | Modified : 21 October, 2024 09:29 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

નૈતિકનું અચાનક મૃત્યુ થવાને કારણે કાયદાકીય રીતે તેનું પોસ્ટમૉર્ટમ કરવાનું છે

નૈતિક અતુલ ગાલા

નૈતિક અતુલ ગાલા


કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં રહેતા ૨૦ વર્ષના નૈતિક અતુલ ગાલાનો ડાયાબિટીઝ ઘટી જવાથી લંડનમાં ૧૭ ઑક્ટોબરે રાતે મૃત્યુ થયું હતું. નૈતિકના અચાનક અવસાનથી ગાલા પરિવાર, મુંબઈનો કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી સમાજ અને નૈતિકના મુંબઈના મિત્રો હચમચી ગયા છે. નૈતિક પાંચ ફિઝિયો થેરપીનો અભ્યાસ કરવા લંડન ગયો હતો. નૈતિકના પપ્પા અતુલ ગાલાએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં નૈતિકના મૃત્યુ વિશે કહ્યું હતું કે ‘અમારો એકનો એક દીકરો તેના મિત્રો સાથે લંડનમાં રાતે જમવા ગયો હોત તો કદાચ તેનું શુગર લેવલ ઘટ્યું ન હોત અને અમે અમારા દીકરાને ગુમાવ્યો ન હોત. નૈતિક ટૂંક સમયમાં પુણેમાં ઇન્ટર્નશિપ કરવા આવવાનો હતો. ત્યારે તેને તેની મમ્મીના હાથનાં મિસળ-પાંઉ અને પાંઉભાજી ખાવાની બહુ જ ઇચ્છા હતી. તેણે કહ્યું હતું કે હું મમ્મીના હાથની રસોઈ મિસ કરું છું. અમે નૈતિકના મિત્રોને મિસળ-પાંઉ અને પાંઉભાજી ખવડાવીને તેની અંતિમ ઇચ્છા પૂરી કરીશું.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 09:29 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK