અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભાદરવી પૂનમના મેળામાં અગણિત યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉત્તર ગુજરાતમાં આવેલા ખેડબ્રહ્મા અને અંબાજીમાં જતા હોવાથી મુસાફરોની સુવિધાને ધ્યામાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે મેળા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે.
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેન અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન રહેશે. અસારવાથી આ ટ્રેન સવારે ૯.૩૫ વાગ્યે ઊપડશે અને બપોરે ૧૨.૧૦ વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. આ રીતે ખેડબ્રહ્માથી આ ટ્રેન બપોરે ૩.૩૫ વાગ્યે ઊપડશે અને સાંજે ૬.૧૦ વાગ્યે અસારવા આવશે. આ ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશન પર ઊભી રહેશે. ટ્રેનમાં કુલ ૮ કોચ રહેશે.
