Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલી એપ્રિલથી આવકવેરા કાયદામાં ફેરફાર થશે, ઑડિટ ન હોય એવા કેસમાં ITR ૩૧ ઑગસ્ટ સુધી ફાઇલ કરી શકાશે

પહેલી એપ્રિલથી આવકવેરા કાયદામાં ફેરફાર થશે, ઑડિટ ન હોય એવા કેસમાં ITR ૩૧ ઑગસ્ટ સુધી ફાઇલ કરી શકાશે

Published : 17 March, 2026 07:18 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ દાયકા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે પહેલી એપ્રિલથી ઇન્કમ ટૅક્સ ઍક્ટ 2025 અમલમાં આવશે. નવા કાયદામાં સરળ ભાષા રજૂ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૬ દાયકા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે પહેલી એપ્રિલથી ઇન્કમ ટૅક્સ ઍક્ટ 2025 અમલમાં આવશે. નવા કાયદામાં સરળ ભાષા રજૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં જાહેર કરાયેલા પ્રસ્તાવો એ જ રહેશે. આ ફેરફારોનો હેતુ કૉમ્પ્લાયન્સને સરળ બનાવવાનો, સમયરેખાને તર્કસંગત બનાવવાનો અને રોકાણકારો, વ્યવસાયો અને વ્યક્તિઓને અસર કરતી ચોક્કસ કર-જોગવાઈઓમાં ફેરફાર કરવાનો છે. 

હવે ઑડિટ ન હોય એવા કેસ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈથી લંબાવીને ૩૧ ઑગસ્ટ કરવામાં આવી છે અને સુધારેલું રિટર્ન હવે આવતા વર્ષના ૩૧ માર્ચ સુધી ફાઇલ કરી શકાશે. કલમ ૧૭૨ કેસ જેવી ખાસ જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવેલા કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર રાખવામાં આવી છે. જેમનાં ખાતાંઓનું ઑડિટ જરૂરી છે એવી કંપનીઓ અને કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઑક્ટોબર રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 07:18 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK