Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તહવ્વુર રાણાને ભારત લાવવામાં હવે થોડો સમય લાગશે

તહવ્વુર રાણાને ભારત લાવવામાં હવે થોડો સમય લાગશે

Published : 17 February, 2025 10:53 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં માનવીય આધાર પર તેણે ફરી એક અપીલ કરી હોવાથી એનો નિર્ણય આવ્યા બાદ તેના પ્રત્યાર્પણની કાર્યવાહી આગળ વધશે

તહવ્વુર રાણા

તહવ્વુર રાણા


ભારતના દુશ્મન એવા તહવ્વુર રાણાને અમેરિકાથી ભારતમાં લાવવામાં થોડો સમય લાગે એવી શક્યતા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રાણાને ભારતને સોંપવા માટે મંજૂરી આપી દીધી છે, પણ તેણે માનવીય આધાર પર ફરી એક અપીલ કરી છે જેના પર નિર્ણય લેવાયા બાદ તેના પ્રત્યાર્પણની કાર્યવાહી આગળ ધપશે.


૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં તહવ્વુર રાણા પણ આરોપી છે અને તેના પ્રત્યાર્પણને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ તેની રિવ્યુ પિટિશન ફગાવી દેતાં તેનો ભારત લાવવાનો રસ્તો સાફ થયો હતો, પણ તેણે હવે છેલ્લી અરજી કરી છે.



આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે આ એક કાનૂની કેસ છે અને ભારત અને અમેરિકાના મજબૂત રાજનૈતિક સંબંધો જોતાં તેના પ્રત્યાર્પણને કોઈ અસર નહીં પડે. જોકે પ્રત્યાર્પણ થોડાં અઠવાડિયાં માટે લંબાઈ ગયું છે.


તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની પણ કૅનેડાનો નાગરિક છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાને મટીરિયલ સપોર્ટ કરવા માટે ૨૦૧૧માં તેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે સજા ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2025 10:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK