અનશન સમાપ્ત કર્યા પછી પણ મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ત્રણ મહિનાની અંદર મરાઠા આરક્ષણ સંબંધિત માગણીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આંદોલનને મુંબઈ લઈ જશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મરાઠા આરક્ષણ કાર્યકર મનોજ જરાંગે પાટીલ દ્વારા તેમના 20 દિવસ લાંબી ભૂખ હડતાળ સમાપ્ત કરવાના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મરાઠા સમુદાયની માગણીઓ પૂરી કરવા માટે ટૂંક સમયમાં કામ કરશે. છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે ઉલ્લેખ કર્યો હતો કે જરાંગેને અગાઉ જ જાણ કરવામાં આવી હતી કે તેમની 13 માંથી 12 માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, જ્યારે એક માગણીમાં કાનૂની અવરોધો છે. ફડણવીસે કહ્યું, "મને આનંદ છે કે મનોજ જરાંગે પાટીલે તેમની હડતાળ પાછી ખેંચી લીધા છે. અમારી સરકાર દ્વારા રચવામાં આવેલી પેટા-સમિતિ સમુદાયની માગણીઓના નિરાકરણ માટે કામ કરી રહી છે. અમે તેમને ખાતરી આપીએ છીએ કે અમે તેમની માગણીઓ પૂરી કરવા માટે કામ કરીશું."
સરકારનો સકારાત્મક અભિગમ
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સરકારે મરાઠા આરક્ષણના મુદ્દે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમણે નોંધ્યું હતું કે વર્તમાન સરકારે મરાઠા સમુદાયના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા છે. ફડણવીસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મંત્રીઓ પ્રસાદ લાડ અને ઉદય સામંત તથા અન્ય લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે મરાઠા સમુદાયની માગણીઓ અંગે ચાલી રહેલા પ્રયાસોમાં તેમના યોગદાનની નોંધ લીધી હતી.
ત્રણ મહિનાનું અલ્ટીમેટમ
? 9.35am | 17-9-2026?Chatrapati Sambhajinagar. LIVE | Media Interaction #Maharashtra #ChhatrapatiSambhajiNagar https://t.co/H6t1exNdS9
— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 17, 2026
અનશન સમાપ્ત કર્યા પછી પણ મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ત્રણ મહિનાની અંદર મરાઠા આરક્ષણ સંબંધિત માગણીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આંદોલનને મુંબઈ લઈ જશે. અહેવાલો અનુસાર, બીડ જિલ્લાના પાટોડામાં સરકારી પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત બાદ જરાંગેએ અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રતિનિધિમંડળમાં મંત્રીઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ અને દાદા ભૂસે, વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડ, ધારાસભ્ય સુરેશ ધાસ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો.
20 દિવસ બાદ હડતાળ સમાપ્ત
મુંબઈ જતી વખતે જરાંગે પાટોડામાં રોકાયા હતા. બેઠક દરમિયાન, સરકારી પ્રતિનિધિમંડળે તેમને મરાઠા આરક્ષણની માગણીઓ અંગે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા પગલાં વિશે માહિતી આપી હતી. ત્યારબાદ, તેમણે તેમના 20 દિવસના અનશન સમાપ્ત કર્યા. થોડા દિવસો પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર દબાણની યુક્તિઓ સહન કરશે નહીં. તેમણે ગણેશોત્સવ દરમિયાન પ્રસ્તાવિત આંદોલનના સમય અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
