Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંદિરોમાં ડ્રેસ-કોડના પ્રયાસને મળી રહ્યો છે સારો પ્રતિસાદ

મંદિરોમાં ડ્રેસ-કોડના પ્રયાસને મળી રહ્યો છે સારો પ્રતિસાદ

Published : 14 April, 2025 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના કો-ઑર્ડિનેટર સુનીલ ઘનવટે કહ્યું હતું કે ‘જળગાવમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટની બેઠક થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભગવાનના મંદિરમાં ફાટેલાં જીન્સ કે શરીર દેખાતું હોય એવાં કપડાં પહેરનારાઓને પ્રવેશ ન આપવાની ઝુંબેશ મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને ભક્તોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર સહિત અનેક મંદિરોએ ડ્રેસ-કોડ લાગુ કર્યો છે ત્યારે ગણપતિના અષ્ટવિનાયકમાં સામેલ મોરગાવના મોરેશ્વર, થેઉરના ચિંતામણિ, સિદ્ધટેકના સિદ્ધિવિનાયક, ચિંચવડના મોરવા ગોસાવી સંજીવન મંદિર અને ખાર નારંગી મંદિરમાં પણ ડ્રેસ-કોડ લાગુ કરવામાં આવ્યો છે. ડ્રેસ-કોડ સંબંધે આ મંદિરોએ ભક્તો માટેની નિયમાવલિ જાહેર કરી છે.


મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના કો-ઑર્ડિનેટર સુનીલ ઘનવટે કહ્યું હતું કે ‘જળગાવમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટની બેઠક થઈ હતી એમાં મંદિરોમાં પ્રવેશ માટેના ડ્રેસ-કોડનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી ઝુંબેશ શરૂ થયા બાદથી રાજ્યભરનાં મંદિરોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આથી અષ્ટવિનાયક મંદિરોમાં પણ ભક્તો યોગ્ય કપડાં પહેરીને જ ભગવાનનાં દર્શન કરવા જશે એવી અપેક્ષા છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK