Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અશ્લીલ સામગ્રીમાં જપ્ત કરાયેલી કલાકૃતિઓને નષ્ટ કરવા અંગે બૉમ્બે HCએ આપ્યો આ આદેશ

અશ્લીલ સામગ્રીમાં જપ્ત કરાયેલી કલાકૃતિઓને નષ્ટ કરવા અંગે બૉમ્બે HCએ આપ્યો આ આદેશ

Published : 25 October, 2024 06:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bombay HC Restricts Destroying Artwork: કરાચીવાલાની અરજી મુજબ, સૂઝા અને પદમસી પ્રખ્યાત કલાકારો છે અને તેમને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે કસ્ટમ વિભાગને ગયા વર્ષે “અશ્લીલ સામગ્રી” હોવાના કારણે જપ્ત કરાયેલા પ્રખ્યાત કલાકારો એફએન સોઝા અને અકબર પદમસીની (Bombay HC Restricts Destroying Artwork) સાત કલાકૃતિઓનો નાશ ન કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એસ.સોનક અને જિતેન્દ્ર જૈનની ડિવિઝન બેન્ચે સોમવારે 2022 માં લંડનમાં બે અલગ-અલગ હરાજીમાં સાત આર્ટવર્ક હસ્તગત કરનાર કલાના જાણકાર મુસ્તફા કરાચીવાલાની માલિકીની પેઢી, બીકે પોલિમેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.


જસ્ટિસ મહેશ સોનક અને જિતેન્દ્ર જૈને (Bombay HC Restricts Destroying Artwork) આસિસ્ટન્ટ કમિશનર, કુરિયર સેલ, એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનરેટના પહેલી જુલાઈના આદેશને રદ કર્યો અને રૂ. 8.3 લાખની કિંમતની આર્ટવર્ક જપ્ત કરી. વિગતવાર ઓર્ડર પછીથી ઉપલબ્ધ થશે એવું પણ કહેવામાં આવ્યું હતું. બીકે પોલિમેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેના ડિરેક્ટર મુસ્તફા કરાચીવાલા દ્વારા કરવામાં આવેલી અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો. અરજદારે તેની મુક્તિ માટે લખ્યું હતું અને લંડનમાં આર્ટ ગેલેરી ગ્રોસવેનર અને ભારતમાં સાક્ષી તરફથી પ્રમાણપત્રો આપ્યા હતા. શા માટે ડ્રોઈંગનો નાશ ન કરવો જોઈએ તે અંગે કારણદર્શક નોટિસ અને વ્યક્તિગત સુનાવણી પછી, 1 જુલાઈના આદેશ પસાર કરવામાં આવ્યો અને 50,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો.



ગયા વર્ષે એપ્રિલમાં કસ્ટમ વિભાગ દ્વારા આ કલાકૃતિ (Bombay HC Restricts Destroying Artwork) જપ્ત કરવામાં આવી હતી. તેમાં સોઝાના ચાર શૃંગારિક ડ્રોઇંગના ફોલિયોનો સમાવેશ થાય છે, જેને `લવર્સ` કહેવાય છે. અન્ય ત્રણ ‘નગ્ન’ નામનું ડ્રોઈંગ અને પદમસીના બે ફોટોગ્રાફ્સ વગેરેને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કરાચીવાલાની અરજી મુજબ, સૂઝા અને પદમસી પ્રખ્યાત કલાકારો છે અને તેમને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યું હતું કે કામો જપ્ત કરવાનો આદેશ ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.


એડવોકેટ્સ શ્રેયસ શ્રીવાસ્તવ અને શ્રદ્ધા સ્વરૂપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, “કલાનું વિષયવસ્તુ એ આધુનિક કલાનો રાષ્ટ્રીય ખજાનો છે જેને તેની યોગ્ય માન્યતા આપવાની જરૂર છે. જો કે, કસ્ટમ્સ અધિકારીઓ તેમના મહત્ત્વને સમજવામાં નિષ્ફળ રહ્યા છે અને કલા અને અશ્લીલતા વચ્ચે તફાવત કરવામાં નિષ્ફળ ગયા છે," અરજીમાં જણાવ્યું હતું. સોમવારે સુનાવણી દરમિયાન, ન્યાયાધીશોએ (Bombay HC Restricts Destroying Artwork) પૂછ્યું હતું કે "મુદ્દો એ છે કે, શું રાજ્ય [કસ્ટમ્સ] અશ્લીલતા શું છે તેના પોતાના વિચારો લાગુ કરે છે?" અરજદારના એડવોકેટ શ્રેયસ શ્રીવાસ્તવે ફરિયાદ કરી હતી કે "તેઓએ નિષ્ણાતોના અભિપ્રાય પર પણ આધાર રાખ્યો નથી." કસ્ટમ્સના એડવોકેટ જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે "તેઓ અશ્લીલ સામગ્રીની શ્રેણીમાં આવતા પ્રતિબંધિત માલ છે."


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK