Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Social Media

લેખ

અનન્યા પાંડે

અનન્યા પાંડે બની લક્ઝરી બ્રૅન્ડ શનેલની પહેલી ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

માત્ર ૨૬ વર્ષની વયે અનન્યા પાંડેએ બૉલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હાલમાં અનન્યાને ફ્રાન્સની લક્ઝરી બ્રૅન્ડ શનેલે પોતાની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવી છે. ખાસ વાત તો એ છે કે આ ઇન્ટરનૅશનલ લક્ઝરી બ્રૅન્ડની એ પહેલી ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.

20 April, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લારા દત્તાની સોશિયલ મીડિયા પોસ્ટ

મુંબઈ અને દુબઈના ઘર વચ્ચે આંટાફેરા કરે છે લારા દત્તા

૧૬ એપ્રિલે લારા દત્તાની ૪૭મી વર્ષગાંઠ હતી. લારાએ આ દિવસે પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાઇરા સાથે ફૅમિલી-ડિનર કરીને આ દિવસની સ્પેશ્યલ ઉજવણી કરી હતી. આ દિવસે લારાએ રેડ બોલ્ડ ગાઉન પહેર્યું હતું અને એમાં તે ગજબની સુંદર લાગી રહી હતી.

20 April, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન અને દીકરી રાશા થડાણી

રેખા, સરોજ ખાન અને સાધનાના ડાન્સ જો

દીકરી રાશાને આ ટિપ આપીને રવીના ટંડને ઉઇ અમ્મા ડાન્સ માટે તૈયાર કરી હતી. રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ના ગીત ‘ઉઇ અમ્મા’માં પોતાના ડાન્સથી બધાનાં દિલ જીતી ચૂકી છે.

20 April, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેખા

રેખા જૈસી કોઈ નહીં

ફૅન્સે કહ્યું કે જયા બચ્ચન અને હેમા માલિનીએ તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ

20 April, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
વેબ સિરીઝ રિલીઝ થયા બાદ છવાઈ ગઈ કશ્વી

7 વર્ષની વયે વરુણ ધવનની દીકરીનો રોલ કરી સ્ટાર બની ગઈ ગુજરાતી ગર્લ કશ્વી મજમુનદાર

ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...

02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
સંજય દત્તે શેર કરેલી પોસ્ટમાંથી તસવીરો

વિમેન્સ ડે ૨૦૨૫ : કોણ છે સંજય દત્તનાં જીવનના સૌથી મોટાં આશીર્વાદ?

આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઊજવી રહ્યો છે ત્યારે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે તેઓની દિવંગત મા નરગિસ, પત્ની માન્યતા, પુત્રીઓ ત્રિશાલા-ઇક્રા અને બહેનો પ્રિયા અને નમ્રતાની ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. તેઓએ સુંદર કેપ્શન આપીને સૌનું દિલ જીતી લીધું હતું, આવો, આ સુંદર તસવીરો જોઈએ અને ઊજવીએ મહિલા દિવસ

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના સાડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: તનથી લઈને મન સુધી બન્નેને મજબૂત બનાવે છે આ 12 સ્ટેપ્સનો સંપૂર્ણ યોગ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું યોગાસનો પૈકીનું સૌથી સર્વશ્રેષ્ઠ આસન ગણાતું ‘સૂર્ય નમસ્કાર’. આ આસન તો સર્વશ્રેષ્ઠ છે જ, તેમ જ આ એક જ આસન કરવાથી સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પણ મળે છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ બને છે અને તેજસ્વીપણું વધે છે. આ આસન મન અને શરીર બન્નેને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

28 February, 2025 07:06 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ` પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. તેમની, સમય અને આશિષ ચંચલાની અને અપૂર્વ મુખિજા સહિત અન્ય ન્યાયાધીશો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની વાંધાજનક ટિપ્પણીઓએ બહિષ્કાર માટેના કોલને વેગ આપ્યો છે અને OTT પ્લેટફોર્મ્સ પર સામગ્રી નિયમન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. નીલેશ મિશ્રા અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ જેવા જાહેર વ્યક્તિઓએ પણ જવાબદાર ભાષણના મહત્વ પર ભાર મૂકતા ટિપ્પણીની ટીકા કરી છે. રણવીરે માફી માંગી હોવા છતાં, ઘણાએ પ્રશ્ન કર્યો કે શું તે સાચું છે. આ ઘટનાએ જાહેર જગ્યાઓમાં શબ્દોની અસર વિશે વ્યાપક ચર્ચાને વેગ આપ્યો છે.

11 February, 2025 07:14 IST | Mumbai
મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, જેમાં ઋષિઓ અને સંતો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવું જ એક આકર્ષણ છે `કાંટે વાલે બાબા` (રમેશ કુમાર માંઝી), જે કાંટાના પલંગ પર કોઈ પીડા વિના સૂઈ જાય છે, આ પ્રથા તે 40-50 વર્ષથી કરી રહ્યા  છે.તે માને છે કે તે તેના ગુરુ અને ભગવાનનો આશીર્વાદ છે. આ કાર્યક્રમ દરમિયાન, ફીજી, ફિનલેન્ડ, યુએઈ અને શ્રીલંકા સહિત 10 દેશોના 21 સભ્યોના પ્રતિનિધિમંડળે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને શહેરના વારસાનું અન્વેષણ કરશે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં મુખ્ય સ્નાન તારીખો ૨૯ જાન્યુઆરી, ૩, ૧૨ અને ૨૬ ફેબ્રુઆરી છે.

16 January, 2025 06:17 IST | Prayagraj
મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

"IIT બાબા" તરીકે જાણીતા અભય સિંહ, IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જે સાધુ બન્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કાર્યક્રમોમાંના એક મહા કુંભ મેળા 2025 માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આ અનોખા આમંત્રણ દ્વારા, અભય સિંહ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાની આશા રાખે છે. તેમનો ધ્યેય વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક સાધકો બંનેને સમજવામાં મદદ કરવાનો છે કે આ બે ક્ષેત્રો એકબીજાને કેવી રીતે જોડી શકે છે અને એકબીજાના પૂરક બની શકે છે. આ કાર્યક્રમ બંને વિશ્વના લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેના ઊંડા સંબંધને શોધવાની તક પૂરી પાડશે. આ દ્રષ્ટિકોણને એક કરીને, તેમનું માનવું છે કે લોકો જીવન અને બ્રહ્માંડની વધુ સમૃદ્ધ, વધુ સર્વાંગી સમજ મેળવી શકે છે.

16 January, 2025 04:17 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK