Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદલાપુરમાં પુત્રે પેટમાં ચાકુ મારીને પિતાની હત્યા કરી

બદલાપુરમાં પુત્રે પેટમાં ચાકુ મારીને પિતાની હત્યા કરી

Published : 03 April, 2025 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હત્યા કરવાના આરોપસર ગણેશ કરાળેની ધરપકડ કરવામાં આવી છે. સગા પુત્રે જ પિતાની સરેઆમ હત્યા કરી હોવાની જાણ થતાં બદલાપુરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બદલાપુરના બેલવલી વિસ્તારમાં ગઈ કાલે સવારના સાડાસાત વાગ્યે ગણેશ કરાળે નામના યુવકે તેના પિતા અનંત કરાળેના પેટમાં ચાકુ મારીને તેમની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. બદલાપુર પોલીસના જણાવ્યા મુજબ અનંત કરાળેનો એક કમર્શિયલ ગાળો છે જે તેમણે ખાન કેટરર્સને ભાડે આપ્યો હતો. પિતા-પુત્ર ગણેશ અને અનંત કરાળે સવારના સમયે આ ગાળામાં ગયા હતા અને તેમણે ખાન કેટરર્સના માણસને બહાર કાઢ્યો હતો. બાદમાં પિતા-પુત્ર ગાળાની પાછળના ભાગમાં વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગણેશે તેની પાસેનું ચાકુ પિતા અનંતના પેટમાં ઘુસાવી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ થતાં અનંત કરાળેનું બાદમાં મૃત્યુ થયું હતું. પિતા અને પુત્ર વચ્ચે રૂપિયા અને પ્રૉપર્ટી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો એને પગલે પુત્રે પિતાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. હત્યા કરવાના આરોપસર ગણેશ કરાળેની ધરપકડ કરવામાં આવી છે. સગા પુત્રે જ પિતાની સરેઆમ હત્યા કરી હોવાની જાણ થતાં બદલાપુરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK