Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઇન્ફર્ટિલિટીનું બહુ મોટું કારણ છે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ

ઇન્ફર્ટિલિટીનું બહુ મોટું કારણ છે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ

Published : 21 March, 2025 09:35 AM | Modified : 22 March, 2025 07:43 AM | IST | Mumbai
Dr. Suruchi Desai

જે વ્યક્તિને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ છે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો પ્રૉબ્લેમ રહેવાનો જ જે આગળ જતાં ડાયાબિટીઝનું રૂપ લઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ઇન્ફર્ટિલિટી આજના સમયની વધતી જતી સમસ્યા છે અને આજકાલ એની પાછળ જે કારણ મુખ્ય રીતે જોવા મળી રહ્યું છે એ છે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ. સમજવા જેવી વાત એ છે કે જેટલાં કારણો પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ માટે જવાબદાર છે એ લગભગ બધાં જ કારણો એનાં પરિણામો પણ છે. એટલે કે જેને કારણે આ રોગ થઈ શકે છે, આ રોગ થયા પછી એના પરિણામ સ્વરૂપે આ દરેક વસ્તુ સામે આવી શકવાની પૂરી શક્યતા છે. જેમ કે ઓબેસિટીને કારણે આ રોગ થઈ શકે છે અને આ રોગ થયા પછી અચાનક વજન વધે એવું પણ બને. અને જો રોગ થયા પછી વજન વધ્યું તો આ રોગ વકરી શકે છે. આમ આ રોગ અને એનાં પરિણામો વચ્ચે એક કૉમ્પ્લેક્સ રિલેશન છે. જેવું ઓબેસિટીનું છે એવું જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલનું છે. વળી આ રોગને કારણે આવતી ઇન્ફર્ટિલિટી આ રોગની સૌથી મોટી અડચણ છે. જે સ્ત્રીને આ રોગના ઇલાજ પછી પ્રેગ્નન્સી રહી હોય તેનામાં મિસકૅરેજની શક્યતા ઘણી વધારે રહે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન થતા ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના પ્રૉબ્લેમ્સની શક્યતા પણ રહે છે જેથી આવી સ્ત્રીઓને ફક્ત કન્સીવ કરવાનો જ પ્રૉબ્લેમ નથી, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી બને છે.


જો ઘરમાં કોઈને આ પ્રૉબ્લેમ હોય તો જિનેટિકલી સ્ત્રીમાં આ પ્રૉબ્લેમ આવી શકે છે. આથી પહેલેથી આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે જિનેટિકલ કારણોને આપણે ટાળી શકવાના નથી, પરંતુ આપણી લાઇફસ્ટાઇલ એવી રાખવી જેનાથી એન્વાયર્નમેન્ટલ કારણો એને નડે નહીં અને રોગ વકરે નહીં. આ રોગ આજકાલ ૧૬-૧૭ વર્ષની છોકરીઓમાં પણ જોવા મળે છે. આટલી નાની ઉંમરમાં થતા આ પ્રૉબ્લેમને ડૉક્ટરના માર્ગદર્શન અને વ્યવસ્થિત લાઇફસ્ટાઇલ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. જરૂરી છે કે એને જલદી ડિટેક્ટ કરી શકાય. એટલે કે એ એના શરૂવાતી સ્ટેજમાં હોય ત્યારે ડિટેક્ટ થઈ જાય તો ઇલાજ સરળ બની શકે છે. 



જે વ્યક્તિને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ છે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો પ્રૉબ્લેમ રહેવાનો જ જે આગળ જતાં ડાયાબિટીઝનું રૂપ લઈ શકે છે. આ વ્યક્તિને દવાની સાથે-સાથે સ્ટ્રિક્ટ ડાયટ અને એક્સરસાઇઝ પણ ફૉલો કરવી ખૂબ જરૂરી છે. સ્ત્રીઓની રીપ્રોડક્ટિવ એજમાં એટલે કે ૨૦થી ૩૫ વર્ષની ઉમરમાં વધુપડતું સ્ટ્રેસ તેના માટે અને તેના બાળક માટે ઘણું જ નુકસાનદાયક હોય છે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું ખૂબ જરૂરી છે. આ રોગ એક વખત કાબૂમાં આવે અને પછી સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ત્યાર બાદ ફરી પાછો આવવાની શક્યતા ઓછી છે પરંતુ જો ફરીથી એ જ જૂની લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો એ પાછો પણ ફરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 07:43 AM IST | Mumbai | Dr. Suruchi Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK