Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : નારિયેળ મખાના રાજભોગ

આજની રેસિપી : નારિયેળ મખાના રાજભોગ

Published : 18 September, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો કઈ રીતે બનાવવાનો નારિયેળ મખાના રાજભોગ

નારિયેળ મખાના રાજભોગ

નારિયેળ મખાના રાજભોગ


સામગ્રી : બે લીલાં નારિયેળનું ખમણ, ૫૦૦ ગ્રામ દૂધ, ૧/૨ વાટકી મખાના શેકીને બનાવેલો પાઉડર, ૧૦થી ૧૨ તાંતણા કેસરના, ૧/૨ ચમચી એલચી પાઉડર, ત્રણથી ૪ ચમચી મિલ્ક પાઉડર, ૨૦૦ ગ્રામ માવો, સાકર દોઢ વાટકી (તમને જોઈએ એ પ્રમાણે), સજાવટ માટે બદામ-કાજુ-પિસ્તાની કતરણ 

બનાવવાની રીત : નારિયેળનું ખમણ, દૂધ, માવો, મિલ્ક પાઉડરને મિક્સરમાં એકરસ કરી લેવાં. પછી ગૅસ ચાલુ કરી તાવડીમાં બે ચમચી ઘી મૂકીને મિશ્રણને શેકવું. એકદમ ઊકળવા આવે ત્યારે એમાં સાકર નાખીને હલાવવું. હળવું, લચકા પડતું થાય ત્યારે મખાના પાઉડર અને મિલ્ક પાઉડર નાખવો. એને એકસરખું ખૂબ હલાવવું. પછી બે ચમચી ઘી નાખીને એકદમ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર નાખવો. થાળીમાં ઘી લગાવીને એને ઠારવો. કાજુ-બદામ-પિસ્તાની કતરણ ભભરાવીને એને સજાવી લેવું. હેલ્થી અને સ્વાદિષ્ટ નારિયેળ મખાના રાજભોગ તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK