તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, યુવરાજ સિંહે કહ્યું કે તેના પિતાની ટિપ્પણીઓ ‘યોગ્ય નથી’ અને તેણે આ બાબતે વ્યક્તિગત રીતે અસંમતિ પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું, "હું આ ટિપ્પણીઓ માટે કપિલ પાજી અને એમએસ ધોનીની માફી માગું છું.
યોગરાજ સિંહની ૬૮મી વર્ષગાંઠ પર યુવરાજ સિંહે પપ્પાના ઘરે કરી હતી સરપ્રાઇઝ વિઝિટ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાના પિતા યોગરાજ સિંહ દ્વારા ભારતના પૂર્વ લેજન્ડરી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી પોતાને દૂર રાખ્યા છે. આ ટિપ્પણીઓને અયોગ્ય ગણાવતા, યુવરાજે બન્ને દિગ્ગજ ક્રિકેટરોની માફી માગી છે.
પિતાના વિવાદાસ્પદ નિવેદનો પર યુવરાજ સિંહએ તોડ્યું મૌન
ADVERTISEMENT
તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, યુવરાજ સિંહે કહ્યું કે તેના પિતાની ટિપ્પણીઓ ‘યોગ્ય નથી’ અને તેણે આ બાબતે વ્યક્તિગત રીતે અસંમતિ પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું, "હું આ ટિપ્પણીઓ માટે કપિલ પાજી અને એમએસ ધોનીની માફી માગું છું. કપિલ પાજી ભારત માટે એક મહાન ખેલાડી રહ્યા છે. મને ખબર નથી કે તેમના અને મારા પિતા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હતો, કારણ કે હું તે સમયે જન્મ્યો પણ નહોતો." યુવરાજ સિંહે વધુમાં ઉમેર્યું કે તે લાંબા સમય સુધી ધોની સાથે રમ્યો હતો અને તેની સાથે વ્યાવસાયિક સંબંધ શૅર કર્યો હતો. "મારા પિતાએ જે કહ્યું તે યોગ્ય નહોતું. મેં તેમને કહ્યું કે આવી ટિપ્પણીઓ મને વ્યક્તિગત રીતે અસર કરે છે, અને તેથી, તેમણે આવા નિવેદનો આપવાનું ટાળવું જોઈએ," તેમણે કહ્યું.
? YUVRAJ SINGH APOLOGISES TO KAPIL DEV AND MS DHONI
— Brutal Truth (@sarkarstix) April 2, 2026
"I have told my dad it is not right to speak such things and apologised to Kapil paaji and MS. In fact, MS even explained me why new crop of players had to be built."
Thala for a reason ? pic.twitter.com/yYBgmKW8Ul
કપિલ દેવ અને ધોની માટે આદર વ્યક્ત કર્યો યુવરાજે
યુવરાજ સિંહે સ્પષ્ટતા કરી કે તેના પિતાના નિવેદનો તેના પોતાના અંગત વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. તેણે ભારપૂર્વક જણાવ્યું કે તે બન્ને ખેલાડીઓને ખૂબ માન આપે છે. "હું બન્નેની દિલથી માફી માગુ છું. તેઓ જાણે છે કે આ શબ્દો મારા નથી. એક ક્રિકેટર તરીકે, હું રમતમાં તેમના યોગદાનનો આદર કરું છું," તેમણે કહ્યું.
ભૂતકાળના વિવાદો અને આરોપો
યુવરાજ સિંહના પિતા, યોગરાજ સિંહે અગાઉ આરોપ લગાવ્યો હતો કે કપિલ દેવે તેમને કોઈ પણ વાજબી કારણ વગર ટીમમાંથી કાઢી મૂક્યા હતા. આ ઘટનાને કારણે તેઓ કપિલના નિવાસસ્થાને ગયા હતા, જ્યાં તેમણે તેમને શાબ્દિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો, જેના પરિણામે તેમણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમજ, યોગરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોની પર યુવરાજ સિંહની કારકિર્દી પર નકારાત્મક અસર કરવાનો અને ટીમમાંથી તેને બાકાત રાખવામાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે તો ત્યાં સુધી આરોપ આરોપ કર્યો હતો કે તેઓ આ માટે ધોનીને ક્યારેય માફ નહીં કરે.
2011 ના વર્લ્ડ કપ પછીનો યુગ
2011 ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે કૅન્સર સામે લડત આપી અને વાપસી કરી. જોકે, તેને 2019 ના વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જેના પગલે તેણે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
