IPL ઇતિહાસમાં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની એક આખી સીઝનમાં ગેરહાજર રહ્યો હતો. પગ અને અંગૂઠાની ઇન્જરીને કારણે મહેન્દ્ર સિંહ ધોની ચેપૉકની અંતિમ લીગ-સ્ટેજ મૅચ સિવાય કોઈ પણ મૅચમાં સ્ટેડિયમમાં પણ નહોતો આવ્યો.
ઋતુરાજ ગાયકવાડ, મહેન્દ્ર સિંહ ધોની
IPL ઇતિહાસમાં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની એક આખી સીઝનમાં ગેરહાજર રહ્યો હતો. પગ અને અંગૂઠાની ઇન્જરીને કારણે મહેન્દ્ર સિંહ ધોની ચેપૉકની અંતિમ લીગ-સ્ટેજ મૅચ સિવાય કોઈ પણ મૅચમાં સ્ટેડિયમમાં પણ નહોતો આવ્યો.
ચેન્નઈ સુપર કિંગ્સની અંતિમ લીગ-સ્ટેજ મૅચ બાદ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને પૂછવામાં આવ્યું કે શું આપણે આગામી સીઝનમાં એમ. એસ. ધોનીને રમતો જોઈશું? જવાબમાં ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે ‘સ્વાભાવિક છે કે તમને આવતા વર્ષે જ ખબર પડશે અને મને પણ આવતા વર્ષે જ ખબર પડશે. આ સીઝનમાં અમે તેને ખૂબ મિસ કર્યો છે. તે એવી વ્યક્તિ છે જે વિરોધી ટીમમાં ડર પેદા કરી શકે છે. તે ફક્ત ક્રીઝ પર રહીને રમતની ગતિ બદલી શકે છે.’
