Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કટકમાં ૨૦૦૭થી વન-ડેમાં એક પણ મૅચ હારી નથી ભારતીય ટીમ

કટકમાં ૨૦૦૭થી વન-ડેમાં એક પણ મૅચ હારી નથી ભારતીય ટીમ

Published : 09 February, 2025 08:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે બીજી વન-ડે જીતીને સિરીઝ પર કબજો કરવા ઊતરશે ભારતીય ટીમ : બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે પાંચમાંથી ત્રણ વન-ડે જીતી છે ટીમ ઇન્ડિયા, ડિસેમ્બર ૨૦૧૯ બાદ આ મેદાન પર રમાઈ રહી છે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ

કે.એલ. રાહુલ , વિરાટ કોહલી

કે.એલ. રાહુલ , વિરાટ કોહલી


ઓડિશાના કટકમાં આજે બપોરે ૧.૩૦ વાગ્યાથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાશે. ૧-૦થી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં લીડ મેળવનાર ભારતીય ટીમ આજની મૅચ જીતીને સિરીઝ પર કબજો કરી શકશે. કટકના બારાબતી સ્ટેડિયમમાં ડિસેમ્બર ૨૦૧૯ બાદ પહેલી વન-ડે મૅચ અને જાન્યુઆરી ૨૦૨૨ બાદ પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. ૫૦મી વન-ડે મૅચની કૅપ્ટન્સી કરનાર રોહિત શર્મા અને ઘૂંટણના સોજાની સમસ્યામાંથી બહાર આવનાર વિરાટ કોહલીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.


આ મેદાન પર ઇંગ્લૅન્ડ અને ભારતની ટીમ વન-ડે ફૉર્મેટની મૅચમાં જ રમી છે. બન્ને ટીમોએ રમેલી પાંચ વન-ડેમાંથી ભારતની ત્રણમાં અને ઇંગ્લૅન્ડની બે મૅચમાં જીત થઈ છે. જાન્યુઆરી ૨૦૧૭માં બન્ને ટીમ છેલ્લી વાર આ મેદાન પર વન-ડે મૅચ રમી હતી. ઇંગ્લૅન્ડની ટીમ આ મેદાન પર ડિસેમ્બર ૧૯૮૪ અને જાન્યુઆરી ૨૦૦૨માં જ જીત મેળવી શકી છે. ભારતીય ટીમ આ મેદાન પર ૧૯માંથી ૧૩ વન-ડે મૅચ જીતી છે અને જાન્યુઆરી ૨૦૦૭થી સળંગ સાત વન-ડે મૅચ જીતતી આવી છે.



મૅચનો સમય
બપોરે ૧.૩૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK