જૉની બેયરસ્ટોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે લખ્યું, "emirates ફ્લાઇટ રદ થયા પછી અમારી પાસે કોઈ સંદેશાવ્યવહાર થયો નથી. સંદેશાવ્યવહારની લાઇનનો પ્રયાસ કર્યો પણ કંઈ નહીં. શું કોઈ કૃપા કરીને સંપર્કમાં રહી શકે?"
બાંગ્લાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમ સાઉદી અરેબિયામાં ફસાયો અને ઇંગ્લૅન્ડનો ક્રિકેટર જૉની બેયરસ્ટો
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય જનતા, સેલેબ્સ અને હવે ક્રિકેટ જગત પર પણ પડી રહી છે. પરિસ્થિતિ બગડતી જવાને કારણે, ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે, જેના કારણે વિશ્વભરના હજારો લોકો ઍરપોર્ટ પર ફસાયા છે. બાંગ્લાદેશ અને ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમો પણ તેની અસર થઈ છે.
દુબઈમાં ફસાઈ ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનની ટીમો
ADVERTISEMENT
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર દુબઈમાં ચાલી રહેલી ક્રિકેટ સિરીઝ પર પણ પડી છે. ઇંગ્લૅન્ડ લાયન્સ ટીમ પાકિસ્તાન શાહીન બાગ સામે મૅચ રમવા માટે યુએઈમાં હતી. આ દરમિયાન, ઈરાને આ ક્ષેત્રમાં મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા. આ પછી, યુએઈએ તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું, બધી ફ્લાઇટ્સ અટકાવી દીધી અને રવિવારની મૅચ રદ કરી દીધી. ફ્લાઇટ સસ્પેન્શનને કારણે ટીમ દુબઈ છોડી શકી ન હતી. દુબઈમાં ફસાયેલા ખેલાડીઓમાં ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જૉની બેયરસ્ટો, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઍન્ડ્રુ ફ્લિન્ટોફ અને ૨૪ અન્ય ખેલાડીઓ અને સ્ટાફ સભ્યોનો સમાવેશ થાય છે. ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ જણાવ્યું છે કે ખેલાડીઓ અને સ્ટાફની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે. બોર્ડના પ્રવક્તાએ કહ્યું, "અમારી ટીમો અને સ્ટાફની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે મધ્ય પૂર્વમાં વર્તમાન ઘટનાઓના સંદર્ભમાં સુરક્ષા નિષ્ણાતો અને સરકાર સાથે સંપર્કમાં છીએ, અને સત્તાવાર સલાહનું પાલન કરી રહ્યા છીએ. અમે આ પ્રવાસોના ભવિષ્યના સંદર્ભમાં પરિસ્થિતિ અને સત્તાવાર સલાહનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું."
My statement on Iran. pic.twitter.com/Ki4VVTYO4N
— Keir Starmer (@Keir_Starmer) February 28, 2026
સોશિયલ મીડિયા પર ક્રિકેટરે માહિતી આપી
જૉની બેયરસ્ટોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે લખ્યું, "emirates ફ્લાઇટ રદ થયા પછી અમારી પાસે કોઈ સંદેશાવ્યવહાર થયો નથી. સંદેશાવ્યવહારની લાઇનનો પ્રયાસ કર્યો પણ કંઈ નહીં. શું કોઈ કૃપા કરીને સંપર્કમાં રહી શકે?"
મુશફિકુર રહીમ સાઉદી અરેબિયામાં ફસાયો હતો
બાંગ્લાદેશનો અનુભવી બૅટર મુશફિકુર રહીમ હજ માટે મક્કા ગયો હતા. હજ પૂર્ણ કર્યા પછી, તે દુબઈ થઈને બાંગ્લાદેશ પરત ફરવનો હતો, પણ આ દરમિયા યુદ્ધને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા ડાયવર્ટ કરવામાં આવી. મુશફિકુરએ ફેસબુક પર સંપૂર્ણ વિગતો પોસ્ટ આપી. તેણે લખ્યું, "હું હજ અને ઉમરાહ માટે મક્કા આવ્યો હતો. હજ પૂર્ણ કર્યા પછી, હું દુબઈ થઈને બાંગ્લાદેશ પરત ફરી રહ્યો હતો. અમે આજે સવારે ફ્લાઇટ EK 0806 માં જેદ્દાહથી દુબઈ જવા રવાના થયા. કમનસીબે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે, બધી ફ્લાઇટ્સ જેદ્દાહ પરત ફરી ગઈ, અને હવે હું હજારો અન્ય મુસાફરો સાથે જેદ્દાહ ઍરપોર્ટ પર ફસાયો છું. બાકીના બાંગ્લાદેશી લોકો સાથે આપણે ક્યારે અને કેવી રીતે ઢાકા પહોંચીશું તે ફક્ત અલ્લાહ જ જાણે છે. હું તમારી પ્રાર્થનાઓ માટે વિનંતી કરું છું." જોકે તે હવે ઢાકા જવા નીકળી ગયો હોવાની માહિતી પણ તેણે શૅર કરી હતી.
