Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલથી હિન્દુસ્તાની એવા નેધરલૅન્ડ્સવાસીઓએ વારલી આર્ટમાં બનાવી રામાયણ

દિલથી હિન્દુસ્તાની એવા નેધરલૅન્ડ્સવાસીઓએ વારલી આર્ટમાં બનાવી રામાયણ

Published : 19 May, 2026 11:48 AM | IST | Netherlands
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યુગલનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું એનાથી પ્રેરણા લઈને આ કામ કર્યું હતું

યુગલે રચેલા આર્ટવર્કમાં રામાયણની મહત્ત્વની ઘટનાઓનાં દૃશ્યો વારલી આર્ટ દ્વારા દોરવામાં આવ્યાં છે

અજબ ગજબ

યુગલે રચેલા આર્ટવર્કમાં રામાયણની મહત્ત્વની ઘટનાઓનાં દૃશ્યો વારલી આર્ટ દ્વારા દોરવામાં આવ્યાં છે


બિહારના મુઝફ્ફરપુરનાં જયંત શાંડિલ્ય અને રુચિ સૌમ્યા વર્ષોથી નેધરલૅન્ડ્સ રહે છે. તેમણે વિદેશમાં રહીને પણ પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહેવાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે. જયંત અને રુચિએ મળીને મહારાષ્ટ્રની પારંપરિક વારલી આર્ટના માધ્યમથી આખી રામાયણ રચી છે. આ યુગલનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું એનાથી પ્રેરણા લઈને આ કામ કર્યું હતું. યુગલે રચેલા આર્ટવર્કમાં રામાયણની મહત્ત્વની ઘટનાઓનાં દૃશ્યો વારલી આર્ટ દ્વારા દોરવામાં આવ્યાં છે. રાજા દશરથે યજ્ઞ કર્યો અને ભગવાન રામનો જન્મ થયો ત્યારથી રામના બાળપણથી લઈને રામના દેહત્યાગ સુધીની તમામ ઘટનાઓને વારલી આર્ટ દ્વારા તાદૃશ્ય કરવામાં આવી છે. વારલી આર્ટ થકી તેમણે ભારતીય પૌરાણિક કથાઓ પ્રતિ વિદેશમાં પણ જાગૃતિ આવે એ માટે પ્રયાસ કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 11:48 AM IST | Netherlands | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK