ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો છે. તેમણે એક પત્ર દ્વારા પોતાની લાગણીઓ શૅર કરી છે, જેમાં પ્રચાર દરમિયાન મળેલી ઉર્જાનો ઉલ્લેખ કર્યો છે.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો છે. તેમણે એક પત્ર દ્વારા પોતાની લાગણીઓ શૅર કરી છે, જેમાં પ્રચાર દરમિયાન મળેલી ઉર્જાનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને બંગાળના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપનો રોડમેપ રજૂ કરવાની તક મળી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. આ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને એક પત્ર અને એક ઓડિયો સંદેશ જાહેર કર્યો હતો. રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન 29 એપ્રિલે થશે અને પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ પત્રમાં શું લખ્યું?
પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન મારા પરિવારના સભ્યો તરફથી મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદે મને નવી ઉર્જાથી ભરી દીધો છે. પછી ભલે તે યુવાનો હોય કે મહિલાઓ હોય, આપણા ખેડૂત ભાઈ-બહેનો હોય, કામદારો હોય કે વ્યવસાય માલિકો હોય, બધા `વિકસિત બંગાળ` માટે પ્રતિબદ્ધ છે. મેં આ પત્રમાં તેમના પ્રત્યે મારી લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના લોકોને હિન્દી અને બંગાળી ભાષામાં અલગ-અલગ ઓડિયો સંદેશ પણ જારી કર્યો.
पश्चिम बंगाल के मेरे परिवारजनो, लोकतंत्र के महोत्सव में बीजेपी की विजय का ध्वज फहराने का सुनहरा अवसर आपके सामने है। मुझे विश्वास है कि 29 अप्रैल को आप मतदान का नया रिकॉर्ड बनाएंगे। इस ऐतिहासिक अवसर को लेकर मैंने ऑडियो संदेश के माध्यम से अपनी भावनाएं व्यक्त की हैं… pic.twitter.com/17Afzc7Hsy
— Narendra Modi (@narendramodi) April 27, 2026
વિકસિત બંગાળ માટે મતદાનની અપીલ અને ગૅરંટી
પીએમ મોદીએ જણાવ્યું કે મતદાનના પ્રથમ તબક્કાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે બંગાળના લોકોને 29 એપ્રિલે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી. લોકશાહીના મંદિરમાં વિજયનો ધ્વજ લહેરાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. તેમણે બંગાળના વિકાસ માટે બધા સાથે મળીને કામ કરવા વિશે વાત કરી, જેને તેમણે "મોદીની ગેરંટી" તરીકે વર્ણવી.
पश्चिम बंगाल के पूरे चुनाव अभियान के दौरान मुझे अपने परिवारजनों का जो अपार स्नेह और आशीर्वाद मिला है, उसने एक नई ऊर्जा से भर दिया है। यहां की युवाशक्ति हो या नारीशक्ति, हमारे किसान भाई-बहन हों, श्रमिक या फिर कारोबारी, सभी ‘विकसित बंगाल’ के लिए संकल्पित हैं। मैंने इस पत्र में उनके… pic.twitter.com/IKH447nWn2
— Narendra Modi (@narendramodi) April 27, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે મતદાન 23 એપ્રિલે થયું હતું, જેમાં રેકોર્ડ 92.15 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કા માટે મતદાન 29 એપ્રિલે થશે, અને પરિણામો 4 મેના રોજ જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં નૌકામાં સવારી કરી હતી. એ દરમ્યાન તેમણે ખુદ ફોટોગ્રાફી પણ કરી હતી અને નાવિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. જે નૌકામાં સવારી કરી એના નાવિકને ૧૦૦૦ રૂપિયા આપીને ગળે લગાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર આ નૌકાવિહારની તસવીરો શૅર કરીને નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘દરેક બંગાળીના દિલમાં ગંગા બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ કહેવું ખોટું નહીં હોય કે ગંગા બંગાળના આત્મામાં વહે છે. ગઈ કાલે સાંજે હાવડાથી કલકત્તાના લાંબા રોડ-શો દરમ્યાન હાવડા બ્રિજ પર હતો. આજે સવારે હુગલી નદી પરથી હાવડા બ્રિજ જોયો.’
