Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હાથ અને પગ કાપવા જેવી સજા થશે તો જ લોકો કાયદાનું પાલન કરશે

હાથ અને પગ કાપવા જેવી સજા થશે તો જ લોકો કાયદાનું પાલન કરશે

Published : 03 June, 2026 11:32 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બળાત્કારના આરોપીની જામીનઅરજી ફગાવીને કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજે કર્યું આકરું સૂચન

કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજ

અજબ ગજબ

કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજ


કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજે બળાત્કારના ૨૩ વર્ષના આરોપીની જામીનઅરજી ફગાવી દેતી વખતે કેટલાક ગલ્ફ દેશોની જેમ કડક સજાની હિમાયત કરીને અવલોકન કર્યું હતું કે લોકો લોકશાહી પ્રણાલી હેઠળ ઉપલબ્ધ અધિકારો અને સ્વતંત્રતાઓનો વધુ ને વધુ લાભ લઈ રહ્યા છે.

લોકો આકસ્મિક રીતે અને નિયમિત ગુનાઓ કરી રહ્યા છે એવું અવલોકન કરતાં જસ્ટિસ આર. નટરાજે કહ્યું હતું કે ‘હાલના કાયદાઓ હેઠળ ગુનેગારો સાથે પૂરતા પ્રમાણમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે સજાની નિવારક અસર નબળી પડી છે. કાયદો એની અસરકારકતા ગુમાવી ચૂક્યો છે, કારણ કે આપણે ગુનેગારો સાથે કડકાઈથી વ્યવહાર કરતા નથી. તેથી જ મધ્ય-પૂર્વથી વિપરીત ગુનો કરવો ખૂબ સરળ બની ગયું છે. જો તમે પગ કે હાથ કાપી નાખો છો તો જ લોકો કાયદાનું પાલન કરવાનું શીખશે, કારણ કે આપણી પાસે લોકશાહી છે, દરેક વ્યક્તિ તેને હળવાશથી લે છે.’     


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:32 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK