Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચ્યો

કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચ્યો

Published : 23 March, 2025 10:10 AM | Modified : 24 March, 2025 06:57 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં કાંદાનો પૂરતો સ્ટૉક હોવાની સાથે નવો પાક પણ આવવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે સરકારે નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચ્યો

કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચ્યો


કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ કરવા પર લાદેલો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારે ગઈ કાલે આ સંબંધી નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં આ નિર્ણય પહેલી એપ્રિલથી અમલમાં આવશે એવું જણાવ્યું હતું. વધુ પ્રમાણમાં કાંદાની નિકાસ ન થાય અને ઘરઆંગણે કાંદા પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૧૩ સપ્ટેમ્બરથી કાંદાની નિકાસ પર ૨૦ ટકા ટૅક્સ નાખ્યો હતો. પાંચ મહિનામાં કાંદાની ઉપલબ્ધતા ચકાસવામાં આવી હતી, જેમાં ભારતમાં કાંદાનો સ્ટૉક હોવાનું જણાતાં નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કાંદાની નિકાસ પર ટૅક્સ નાખવામાં આવ્યો હોવા છતાં નિકાસમાં વધારો થયો છે. ૨૦૨૩-’૨૪માં ૧૭.૧૭ લાખ ટન તો ૨૦૨૪-’૨૫ (૧૮ માર્ચ સુધી)માં ૧૧.૬૫ લાખ ટન કાંદાની નિકાસ કરવામાં આવી હતી. ૨૦૨૪માં સપ્ટેમ્બર મહિનામાં ૦.૭૨ લાખ ટન કાંદાની નિકાસ સામે જાન્યુઆરી ૨૦૨૫માં ૧.૮૫ લાખ ટન કાંદા દેશની બહાર મોકલવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 March, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK