Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મન્કીપૉક્સનો ફેલાવો રોકવા બૅન્ગલોર ઍરપોર્ટે ૨૧ દિવસના ક્વૉરન્ટીનનો નિયમ લાગુ કર્યો

મન્કીપૉક્સનો ફેલાવો રોકવા બૅન્ગલોર ઍરપોર્ટે ૨૧ દિવસના ક્વૉરન્ટીનનો નિયમ લાગુ કર્યો

17 September, 2024 09:15 AM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં મન્કીપૉક્સનો એક કેસ નોંધાયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં ચેપી રોગ મન્કીપૉક્સનો ફેલાવો રોકવા માટે બૅન્ગલોર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે વિદેશથી અને એમાંય ખાસ કરીને આફ્રિકન દેશમાંથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે અને એ માટે ઍરપોર્ટ પર ચાર સ્ક્રીનિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવ્યાં છે. જે પ્રવાસીઓનાં શરીરનાં તાપમાન વધારે જણાશે અથવા તેમનામાં મન્કીપૉક્સનાં લક્ષણ દેખાશે તો તેમને ૨૧ દિવસના ક્વૉરન્ટીનમાં મોકલી દેવામાં આવશે. ઍરપોર્ટમાં ક્વૉરન્ટીન ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી આ પ્રવાસી ઇન્ફેક્શનથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેને ત્યાં રાખવામાં આવશે. ભારતમાં મન્કીપૉક્સનો એક કેસ નોંધાયો છે, પણ એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જાહેર કરેલા ખતરનાક મનાતા ક્લૅડ વન-બી સ્ટ્રેઇનનો નથી.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 09:15 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK