Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જળાશયોમાં પાણીનો સ્ટૉક માત્ર ૧૦ ટકા

જળાશયોમાં પાણીનો સ્ટૉક માત્ર ૧૦ ટકા

Published : 24 May, 2024 02:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMC આવતા અઠવા​ડિયામાં પાણીકાપ મૂકવો કે નહીં એના પર નિર્ણય લે એવી શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક હવે માત્ર ૧૦ ટકા બચ્યો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આવતા અઠવા​ડિયામાં પાણીકાપ મૂકવો કે નહીં એના પર નિર્ણય લે એવી શક્યતા છે. જોકે ઇમર્જન્સીનો સ્ટૉક છે જ, પણ એમ છતાં હાલ ઝડપથી થઈ રહેલા બાષ્પીભવનને કારણે પાણીનો સ્ટૉક ઘટી રહ્યો છે એટલે BMC આ બાબતે અવઢવમાં છે. પાણીનો ૧૦ ટકા સ્ટૉક પણ અંદાજે ૨૮થી ૩૦ દિવસ સુધી ચાલતો હોય છે. BMCના ઑફિસરે કહ્યું હતું કે ‘આ વર્ષે મોસમ વિભાગે સારો વરસાદ થશે એવી આગાહી કરી છે. વરસાદ આંદામાનથી કેરલા તરફ આગળ વધી રહ્યો છે. મુંબઈમાં એ ક્યારે આવશે એની ચોક્કસ તારીખ હજી મળી નથી. ઍટ લીસ્ટ બે અઠવા​ડિયાં સારો વરસાદ થાય તો જળાશયોની સપાટી વધતી હોય છે. એથી અમે બધી જ બાબતોની ચકાસણી કરીને એ પછી પાણીકાપ મૂકવો કે નહીં એ વિશે નિર્ણય લઈશું.’ 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK