Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાયખલામાં ૪૨મા માળે લાગેલી આગ અઢી કલાકે ઓલવાઈ

ભાયખલામાં ૪૨મા માળે લાગેલી આગ અઢી કલાકે ઓલવાઈ

Published : 01 March, 2025 04:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાયખલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ૫૭ માળની ગગનચુંબી ઇમારત સલ્સેટ 27ના ૪૨મા માળ પર આવેલા ૨૫૦૦ સ્ક્વેરફુટના ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી.

સલ્સેટ 27 નામના ટાવરના ફ્લૅટમાં લાગેલી આગ પછી એ ખાખ થઈ ગયો હતો. (તસવીર : આશિષ રાજે)

સલ્સેટ 27 નામના ટાવરના ફ્લૅટમાં લાગેલી આગ પછી એ ખાખ થઈ ગયો હતો. (તસવીર : આશિષ રાજે)


ભાયખલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ૫૭ માળની ગગનચુંબી ઇમારત સલ્સેટ 27ના ૪૨મા માળ પર આવેલા ૨૫૦૦ સ્ક્વેરફુટના ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ બહુ ઊંચે આગ લાગી હોવાથી ફાયર-બ્રિગેડનાં પાંચ ફાયર-એન્જિન, ૩ જમ્બો ટૅન્કર અને અન્ય હાઇરાઇઝ સીડી ધરાવતાં રેસ્ક્યુ​ વેહિકલ્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર-બ્રિગેડના જવાનોએ અઢી કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. આગ ઓલવવા માટે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર-ફાઇટિંગ સિસ્ટમનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આગમાં કોઈના જખમી થવાના અહેવાલ નથી. આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો. ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2025 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK