Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રાવણમાં તુંગારેશ્વર દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓની પ્રવેશ-ફી માફ

શ્રાવણમાં તુંગારેશ્વર દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓની પ્રવેશ-ફી માફ

28 July, 2024 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખા મુંબઈમાંથી શ્રાવણ મહિના દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

તુંગારેશ્વર

તુંગારેશ્વર


વસઈના તુંગારેશ્વર પર્વત પર દર્શન કરવા આવતા ભક્તો પાસેથી વનવિભાગ દ્વારા પ્રવેશ-ફી વસૂલ કરવામાં આવે છે. આખા મુંબઈમાંથી શ્રાવણ મહિના દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ ભક્તોને પ્રવેશ-ફી માફ કરવામાં આવશે એને કારણે મોટી રાહત મળી છે.


વસઈ તાલુકાના ઈસ્ટ ભાગમાં તુંગારેશ્વર પર્વત આવેલો છે. આ પર્વત પર તુંગારેશ્વર મંદિર આવેલું છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શંકર મહાદેવના ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તુંગારેશ્વર આવતા ભક્તો અને પર્યટકો તરફથી અભયારણ્યના નામ હેઠળ વનવિભાગ દ્વારા ૬૪ રૂપિયાની એન્ટ્રી-ફી લેવામાં આવે છે. શંકર મહાદેવનું મંદિર હોવાથી અહીં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ થતી હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK