રાજ્યમાં અનેક એબીસી નેતાઓ આ સરકારી નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે આ નિર્ણય પાછો ખેંચવાની માગ મૂકી રહ્યા છે.
છગન ભુજબળ (ફાઈલ તસવીર)
રાજ્યમાં અનેક એબીસી નેતાઓ આ સરકારી નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે આ નિર્ણય પાછો ખેંચવાની માગ મૂકી રહ્યા છે.
મનોજ જારાંગેના આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા મરાઠા અનામત માટે હૈદરાબાદ રાજપત્ર લાગુ પાડવાના નિર્ણય બાદ ઓબીસી સુમદાય વ્યાકુળ છે.
ADVERTISEMENT
OBC નેતા કરી રહ્યા છે સરકારના નિર્ણયનો વિરોધ
રાજ્યના અનેક ઓબીસી નેતા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને આ નિર્ણય પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે. સત્તારૂઢ મહાગઠબંધનના નેતા અને રાજ્ય સરકારના મંત્રી પણ આનાથી જૂદા નથી. કૅબિનેટ મંત્રી છગન ભુજબળે મરાઠા અનામત સંબંધી સરકારી આદેશને લઈને સરકાર પર મોટો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે સરકારી આદેશ ઓબીસી સામે અન્યાય છે. આ જ રીતે, ઓબીસી નેતા વિરોધ માટે એક મોરચો કાઢી રહ્યા છે અને શક્યતા છે કે આ ઓબીસી મોરચો મુંબઈ સુધી પહોંચશે.
OBCમાં જોડાવાનો ડર
સરકારના આ નિર્ણયને કારણે, મરાઠા સમુદાય (મરાઠા અનામત)ના ઘણા લોકો કુણબી પ્રમાણપત્ર મેળવી રહ્યા છે અને OBCમાં સમાવિષ્ટ અન્ય જાતિઓ OBCમાં જોડાવાનો ભય અનુભવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, OBC નેતાઓ કહી રહ્યા છે કે અમે સરકાર પ્રત્યેનો ગુસ્સો વ્યક્ત કરવા માટે લાખોની સંખ્યામાં મુંબઈ કૂચ કરીશું. એવું માનવામાં આવે છે કે 8 કે 9 ઑક્ટોબરે મુંબઈમાં OBC કૂચ કાઢવામાં આવશે.
સરકારના નિર્ણયથી નારાજ
આ દરમિયાન, મનોજ જારાંગે પાટીલે લાખો વિરોધીઓ સાથે મળીને મુંબઈમાં ભૂખ હડતાળ કરીને સરકારને નમવા અને તેમની માંગણીઓ સ્વીકારવા મજબૂર કરી હતી. જોકે, સરકાર સામે મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ શકે છે કારણ કે આ સરકારી નિર્ણયથી નારાજ OBC પણ મુંબઈમાં કૂચ કાઢશે.
ઉલ્લેખનીય છે કે, મરાઠાઓને હૈદરાબાદ ગૅઝેટના આધારે કુણબી સર્ટિફિકેટ આપીને અનામતમાં સામેલ કરવાનો નિર્ણય લઈને એ માટેનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હોવાથી એને કારણે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને અસર થશે એમ કહીને હવે OBC નેતા છગન ભુજબળ મેદાને પડ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને ખાતરી આપી છે કે આ રેઝોલ્યુશનને કારણે OBCને અપાયેલી અનામતમાં કોઈ ફરક નહીં પડે. એમ છતાં છગન ભુજબળે ૮ અથવા ૯ ઑક્ટોબરે મનોજ જરાંગેની જેમ જ મુંબઈમાં આંદોલન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે જેને કારણે ફરી એક વાર મુંબઈ ખોરંભે ચડી શકે છે અને મુંબઈગરાએ હાડમારી ભોગવવી પડે એમ છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘OBC નેતાઓ અને સમાજે GR બરાબર વાંચવું જોઈએ. GRમાં એવુ ક્યાંય લખ્યું નથી કે સીધેસીધી દરેક મરાઠાને અનામત આપવી. જે કોઈ એ અનામતનો લાભ લેવા અરજી કરશે તેણે એ માટે તેની વંશાવલિના પુરાવા આપવા પડશે. એ દસ્તાવેજોની પછી ઑથોરિટી ચકાસણી કરશે. સરકાર કોર્ટમાં પણ આ બાબતની વ્યવસ્થિત રજૂઆત કરશે.’
દેવેન્દ્ર ફડણવીસને OBC નેતાઓ મુંબઈમાં એ માટે આંદોલન કરવાના છે એવું પત્રકારોએ કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘GR તો બરોબર જ છે, પણ જો કોઈને એને લઈને પૉલિટિક્સ કરવું હોય તો અમે શું કરી શકીએ?’
