Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતાં સહેલાણીઓ ઊમટ્યા

સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતાં સહેલાણીઓ ઊમટ્યા

12 August, 2024 07:30 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભરૂચમાં પોલીસ અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

સહેલાણીઓ

સહેલાણીઓ


ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક થતાં ડૅમમાં પાણીની સપાટી ૧૩૫.૧૬ મીટરે પહોંચી હતી. ગઈ કાલે ડૅમના નવ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા હતા અને ૯૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નદી તળના વિદ્યુતમથકનાં છ મશીનો શરૂ કરાતાં બીજું ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વર્ષે પહેલી વાર સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં અને ગઈ કાલે રવિવારની રજા હોવાથી આ નઝારો માણવા ડૅમ ખાતે હજારો સહેલાણીઓ ઊમટ્યા હતા અને નર્મદાનાં નીરને વધાવ્યાં હતાં. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાનાં નદીકિનારાનાં પચીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તિલકવાડા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામો અને ભરૂચના કાંઠા વિસ્તારમાં પણ લોકોને સાવધ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં પોલીસ અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2024 07:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK