Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૪માં દર બીજા દિવસે ગુજરાતમાં એક સિંહનું મૃત્યુ

૨૦૨૪માં દર બીજા દિવસે ગુજરાતમાં એક સિંહનું મૃત્યુ

Published : 06 April, 2025 01:05 PM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ વર્ષમાં ૬૬૯ સિંહનાં મૃત્યુ, આ વર્ષે થશે સિંહની વસ્તીગણતરી, ૨૦૨૦માં થયેલી ગણતરીમાં ગીરનાં જંગલોમાં ૬૭૪ સિંહ હતા

ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં

ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં


ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ૨૦૨૪માં ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં. ૨૦૨૦ બાદ આ સૌથી મોટો આંકડો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગીરમાં ૬૬૯ સિંહનાં મૃત્યુ થયાં છે.


૨૦૨૦થી ૨૦૨૨ વચ્ચે સિંહનાં મૃત્યુમાં ઘટાડો નોંધાયો હતો, પણ એ પછીનાં ત્રણ વર્ષમાં ૨૦૨૨થી ૨૦૨૪ વચ્ચે સિંહોનાં મૃત્યુમાં ૪૧ ટકાનો વધારો નોંધાયો છે. જોકે શિકારને કારણે એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી.



વૃદ્ધાવસ્થા, બીમારી, લડાઈમાં થતી ઈજા, ખુલ્લા કૂવામાં પડી જવાને લીધે, અકસ્માત અને વીજળીનો કરન્ટ લાગવાને લીધે સિંહોનાં મૃત્યુ થતાં હોય છે. ઘણાં બાળસિંહનાં પણ મૃત્યુ થતાં હોય છે.


ભારતમાં એકમાત્ર ગીરનાં જંગલોમાં એશિયાટિક સિંહોનું ઘર છે અને અહીં સિંહની વસ્તી સતત વધી રહી છે. રાજ્ય સરકારના ફૉરેસ્ટ વિભાગના પ્રયાસોના કારણે ૨૦૧૫માં સિંહોની વસ્તી ૫૨૩ હતી એ વધીને ૨૦૨૦માં ૬૭૪ થઈ છે. ૨૦૧૦થી ૨૦૨૦ વચ્ચે સિંહની વસ્તીમાં ૬૪ ટકાનો વધારો થયો છે.

આ વર્ષે વસ્તીગણતરી
સિંહોની વસ્તીગણતરી દર પાંચ વર્ષે થાય છે. છેલ્લે ૨૦૨૦માં વસ્તીગણતરી થઈ હતી અને હવે આ વર્ષે સોળમી વાર ગણતરી હાથ ધરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2025 01:05 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK