વિજય વર્માએ લાઇમલાઇટથી દૂર રહેવાના પોતાના નિર્ણય પાછળના કારણનો ખુલાસો કર્યો
તમન્ના ભાટિયા સાથે વિજય વર્માની ફાઇલ તસવીર
વિજય વર્માએ હાલમાં પોતાની વ્યક્તિગત જિંદગી અને ઑનલાઇન ટ્રોલિંગ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. થોડા સમય પહેલાં વિજય વર્મા અને તમન્ના ભાટિયાનું લગભગ બે વર્ષના સંબંધ પછી બ્રેક-અપ થયું હતું જે ઘણું ચર્ચામાં રહ્યું. બ્રેક-અપ બાદ વિજય વર્માને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેણે થોડા સમય માટે લાઇમલાઇટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘પહેલાં જો કોઈ જાહેરમાં કોઈ વિશે ખરાબ બોલતું તો એને ખોટું માનવામાં આવતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે લોકો ગાળો આપે છે તેમને કોઈ રોકતું નથી અને જે વ્યક્તિને ટ્રોલ કરવામાં આવે છે તેના વિરુદ્ધ વધુ લોકો બોલવા લાગે છે. આજના સમયમાં લોકોની વ્યક્તિગત જિંદગી અને નિર્ણયોની રોજ ચર્ચા થાય છે જે માનસિક દબાણ વધારતું હોય છે. આ કારણે જ મેં લાઇમલાઇટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.’
