Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોની રિટાયર થાય ત્યારે રોહિતને ચેન્નઈનો કૅપ્ટન બનતો જોવા માગે છે અંબાતી રાયુડુ

ધોની રિટાયર થાય ત્યારે રોહિતને ચેન્નઈનો કૅપ્ટન બનતો જોવા માગે છે અંબાતી રાયુડુ

Published : 12 March, 2024 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહે છે કે હિટમૅને ૨૦૨૫માં સીએસકેમાં આવી જવું જોઈએ, તેની પાસે હજી પાંચ-છ વર્ષ છે

રોહિત શર્મા, અંબાતી રાઈડુ , એમ. એસ ધોની

રોહિત શર્મા, અંબાતી રાઈડુ , એમ. એસ ધોની


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માંથી પણ રિટાયર થયેલા અંબાતી રાયુડુનું કહેવું છે કે તે ૨૦૨૫માં રોહિત શર્માને સીએસકે વતી રમતો જોવા માગે છે અને મહેન્દ્ર સિંહ ધોની રિટાયર થાય એ પછી રોહિતને સીએસકેના કૅપ્ટન તરીકે પણ જોવા માગે છે. બાવીસમી માર્ચથી શરૂ થતી આઇપીએલની નવી સીઝનમાં રોહિત શર્મા ઘણાં વર્ષો પછી કૅપ્ટન તરીકે જોવા નહીં મળે. પાંચ વાર ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સે ટીમનું સુકાન રોહિત પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપ્યું છે. રોહિત હજી પાંચ-છ વર્ષ માટે રમી શકે છે એમ જણાવતાં રાયુડુ કહે છે, ‘આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને જ કૅપ્ટન રાખવો જોઈતો હતો, તે હજી T20માં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. મને લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને કૅપ્ટન બનાવવામાં ઉતાવળ કરી.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK