Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રામલીલામાં વાનર બનેલા બે કેદી હૂપહૂપ કરતા જેલમાંથી ભાગી ગયા

રામલીલામાં વાનર બનેલા બે કેદી હૂપહૂપ કરતા જેલમાંથી ભાગી ગયા

Published : 13 October, 2024 03:02 PM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને કેદી હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા

હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા

અજબગજબ

હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા


નવરાત્રિમાં ઠેકઠેકાણે રામલીલા ભજવાતી હોય છે. હરિદ્વારની જેલમાં પણ રામલીલાનું મંચન થયું હતું. કેદીઓએ જુદાં-જુદાં પાત્રો ભજવ્યાં હતાં. હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો કેદી અને કાચા કામનો કેદી વાનર બન્યા હતા. રાવણ સીતામાતાનું અપહરણ કરી જાય છે પછી ભગવાન રામ અને વાનરસેના સીતામાતાને શોધવા નીકળે છે એ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. આ બન્ને કેદી પણ હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. એક બાજુ રામલીલામાં કેદીઓ અને પોલીસ વ્યસ્ત હતી અને બીજી બાજુ જેલમાં સમારકામ ચાલી રહ્યું હતું. એ તકનો લાભ લઈને હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 03:02 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK