બન્ને કેદી હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા
હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા
નવરાત્રિમાં ઠેકઠેકાણે રામલીલા ભજવાતી હોય છે. હરિદ્વારની જેલમાં પણ રામલીલાનું મંચન થયું હતું. કેદીઓએ જુદાં-જુદાં પાત્રો ભજવ્યાં હતાં. હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો કેદી અને કાચા કામનો કેદી વાનર બન્યા હતા. રાવણ સીતામાતાનું અપહરણ કરી જાય છે પછી ભગવાન રામ અને વાનરસેના સીતામાતાને શોધવા નીકળે છે એ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. આ બન્ને કેદી પણ હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. એક બાજુ રામલીલામાં કેદીઓ અને પોલીસ વ્યસ્ત હતી અને બીજી બાજુ જેલમાં સમારકામ ચાલી રહ્યું હતું. એ તકનો લાભ લઈને હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા.

