Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતીશકુમાર આવ્યા હતા લાલુ-રબડી પાસે : તેજસ્વી

નીતીશકુમાર આવ્યા હતા લાલુ-રબડી પાસે : તેજસ્વી

17 February, 2024 12:55 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે કહ્યું હતું કે બીજેપી તેમના (જેડીયુના) ધારાસભ્ય તોડી રહી છે. એટલે આરજેડી સાથે મળીને સરકાર બનાવીશું

તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવ


બિહારના પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ભારત જોડો ન્યાય યાત્રાને સંબોધિત કરતાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવે ત્યારે નીતીશ કુમારની કસમવાળી વાત પણ યાદ કરાવી. તેમણે કહ્યું કે ગયા વખતે હું નીતીશકુમારની વાતોમાં આવી ગયો હતો. હવે કોઈ પણ હાલતમાં બિહાર અને કેન્દ્રમાંથી એનડીએની સરકારને હટાવવાની છે. તેજસ્વી યાદવે આક્રમક અંદાજમાં કહ્યું કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોઈની પણ વાત સાંભળવા માગતા નથી. તમે લોકો સારી રીતે જાણો છો કે આપણા મુખ્ય પ્રધાન કેવા છે, તેઓ કોઈની પણ વાત સાંભળવા માગતા નથી. તેઓ કહેતા હતા કે હું મરી જઈશ પણ બીજેપીમાં સામેલ નહીં થાઉં. અને અમે નક્કી કર્યું હતું કે અમે નીતીશકુમારની સાથે રહીશું, ભલે ગમે તે થઈ જાય. પણ દગો મળ્યો.


તેજસ્વીએ જણાવ્યું કે નીતીશ જ્યારે પહેલાં એનડીએમાં હતા ત્યારે લાલુ યાદવ અને રાબડી દેવી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બીજેપી તેમના (જેડીયુના) ધારાસભ્ય તોડી રહી છે. એટલે આરજેડી સાથે મળીને સરકાર બનાવીશું. ત્યારે મેં નીતીશકુમારને પૂછ્યું હતું કે શું ગૅરન્ટી છે કે તેઓ પલટી નહીં મારે. પછી મહાગઠબંધન સરકાર બનાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2024 12:55 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK