બન્ને ગૃહોમાં સુપરત કરાયેલી નોટિસ પર કુલ ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર
ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર
વિપક્ષી ગઠબંધને મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદનાં બેઉ સદનમાં મહાભિયોગ નોટિસ આપી છે અને એના પર ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. નિયમો મુજબ લોકસભામાં ૧૦૦ અને રાજ્યસભામાં ૫૦ સંસદસભ્યોના હસ્તાક્ષર જરૂરી છે. લોકસભાના સચિવાલયને તૃણમૂલ કૉન્ગ્રેસની આ નોટિસ મળી છે. વિપક્ષો આજે આ નોટિસ સર્વ કરશે.
