Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જગન્નાથ મંદિરના પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીની ક્વૉલિટીની પણ ચકાસણી કરશે ઓડિશા સરકાર

જગન્નાથ મંદિરના પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીની ક્વૉલિટીની પણ ચકાસણી કરશે ઓડિશા સરકાર

26 September, 2024 04:16 PM IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો મામલો બહાર આવ્યા બાદ ઓડિશા સરકારે પુરીના જગન્નાથ મંદિરમાં બનાવવામાં આવતા પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીની ક્વૉલિટીની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે

જગન્નાથ મંદિર

જગન્નાથ મંદિર


તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો મામલો બહાર આવ્યા બાદ ઓડિશા સરકારે પુરીના જગન્નાથ મંદિરમાં બનાવવામાં આવતા પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીની ક્વૉલિટીની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે ‘બારમી સદીના આ મંદિરમાં આવા કોઈ આરોપ થયા નથી, પણ પ્રશાસને ભગવાન માટે તૈયાર કરવામાં આવતા કોઠા ભોગમાં વપરાતા ઘીની ક્વૉલિટીની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. આ મંદિરમાં ઓડિશા મિલ્ક ફેડરેશન ઘીનો પુરવઠો પૂરો પાડે છે. આ મુદ્દે ફેડરેશન સાથે પણ ચર્ચા કરવામાં આવશે.’

આ પહેલાં મંદિરમાં ઘીના દીવાઓમાં ભેળસેળ ધરાવતું ઘી વાપરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી, એ પછી ઘીની ચકાસણી કર્યા બાદ જ દીવા માટેના ઘીની ખરીદી શરૂ કરાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2024 04:16 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK