Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરહદો પર શાંતિ, તો જ સંબંધો મજબૂત રહેશે

સરહદો પર શાંતિ, તો જ સંબંધો મજબૂત રહેશે

Published : 28 April, 2023 01:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજનાથ સિંહે ચીનના સંરક્ષણપ્રધાનને સ્પષ્ટ રીતે આ વાત જણાવી

નવી દિલ્હીમાં ગઈ કાલે ચીનના સંરક્ષણપ્રધાન લિ શેંગફુની સાથે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ.

નવી દિલ્હીમાં ગઈ કાલે ચીનના સંરક્ષણપ્રધાન લિ શેંગફુની સાથે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ.


સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે ચીનના સંરક્ષણપ્રધાન લિ શેંગફુની સાથે વાતચીત કરી હતી. લિ શેંગફુ ભારત દ્વારા આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સંરક્ષણપ્રધાનોના સ્તરની એક મીટિંગમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. 

આ પણ વાંચો : ભારતનો ચીનને મેસેજ, અમે છીએ તૈયાર



સંરક્ષણ મંત્રાલયે આ વાતચીત વિશે જણાવ્યું હતું કે બન્ને પ્રધાનોએ ભારત-ચીનની બૉર્ડરના વિસ્તારોમાં વિકાસ વિશે ચર્ચા કરી હતી. રાજનાથે શેંગફુને સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થવાનો આધાર સરહદ પર શાંતિ જળવાય છે કે નહીં એના પર રહેલો છે. વાસ્તવિક અંકુશ રેખા પર તમામ મુદ્દાઓનો અત્યારના દ્વિપક્ષીય કરારોને અનુરૂપ જ ઉકેલ લાવવો જોઈએ. અત્યારના કરારોનો ભંગ કરવામાં આવશે તો દ્વિપક્ષીય સંબંધોના આધારનું ધોવાણ થશે. ત્રણ વર્ષ પહેલાં પૂર્વીય લદાખ સીમા પર ઘર્ષણ બાદ ચીનના સંરક્ષણપ્રધાનની આ ભારતની પ્રથમ મુલાકાત છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 01:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK