અગાઉ મફત ગણવામાં આવતા કૅશ-વિધડ્રૉઅલને હવે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝૅક્શન તરીકે ગણવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
દેશની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્ક HDFCએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરીને ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી રોકડ રકમ કાઢવાને ATMની ફ્રી ટ્રાન્ઝૅક્શન-લિમિટમાં સામેલ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે અગાઉ મફત ગણવામાં આવતા કૅશ-વિધડ્રૉઅલને હવે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝૅક્શન તરીકે ગણવામાં આવશે.
સેવિંગ્સ અને સૅલરી ખાતાધારકો HDFC બૅન્કના ATM પર દર મહિને પાંચ મફત વ્યવહાર માટે હકદાર છે. આમાં કૅશ વિધડ્રૉઅલ અને કેટલાક નૉન-ફાઇનૅન્શિયલ વ્યવહારોનો સમાવેશ થાય છે. જો સંખ્યા પાંચથી વધુ હોય તો દરેક વધારાના વ્યવહાર માટે ૨૩ રૂપિયાનો ચાર્જ અને ટૅક્સ વસૂલવામાં આવે છે. આ ચાર્જ પહેલાંથી જ અન્ય બૅન્કના ATM પર લાગુ પડે છે. મેટ્રો શહેરોમાં ૩ મફત ટ્રાન્ઝૅક્શન અને નૉન-મેટ્રો શહેરોમાં પાંચ મફત વ્યવહારો ઉપલબ્ધ છે. હવે UPI દ્વારા થતા કૅશ-વિધડ્રૉઅલ પણ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.
ADVERTISEMENT
ઘણા ખાતાધારકો ડેબિટ કાર્ડને બદલે UPIનો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ રકમ કઢાવે છે. આ માટે અત્યાર સુધી કોઈ ચાર્જ લાગતો નથી પણ હવે એના માટે ચાર્જ ચૂકવવો પડશે.
