Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશના દરેક જિલ્લાના હેડક્વૉર્ટરમાં ગીતા ભવન બાંધવામાં આવશે, બજેટમાં ૧૦૦ કરોડની ફાળવણી

મધ્ય પ્રદેશના દરેક જિલ્લાના હેડક્વૉર્ટરમાં ગીતા ભવન બાંધવામાં આવશે, બજેટમાં ૧૦૦ કરોડની ફાળવણી

Published : 13 March, 2025 08:29 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જાહેરાત નાણાપ્રધાન જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ-પ્રવચન વખતે કરી હતી.

મોહન યાદવ

મોહન યાદવ


મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મોહન યાદવની સરકારે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ગ્રંથોના અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યનાં તમામ જિલ્લા મુખ્યાલયોમાં ગીતા ભવન બાંધવામાં આવશે જેના માટે ૨૦૨૫-’૨૬ના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. આ જાહેરાત નાણાપ્રધાન જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ-પ્રવચન વખતે કરી હતી.


સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત ગીતા ભવનમાં એક હૉલ, લાઇબ્રેરી, પાર્કિંગ અને કૅફેટેરિયા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઇબ્રેરીમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલાં સંસ્મરણોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને દર્શાવતાં પુસ્તકો પણ રાખવામાં આવશે. આ જાહેરાતને રાજ્યના લોકોએ સકારાત્મક પગલું ગણાવ્યું છે અને ધાર્મિક સંગઠનો અને સાહિત્યપ્રેમીઓએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2025 08:29 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK